:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગાયક અભિજીતનું નિવેદનઃ અરિજીત દેશનો શ્રેષ્ઠ ગાયક છે અને તેણે સલમાન પાસેથી કામની ભીખ માંગવાની જરૂર નહોતી

top-news
  • 06 Dec, 2023

સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ પોતાની કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. આજે પણ અભિજીતના અવાજના ચાહકો દીવાના છે. સિંગરે 1000 ફિલ્મોમાં 6034 ગીતો ગાયા છે. આ ગાયકે શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી બધા માટે ગીતો ગાયા છે. થોડા દિવસ પહેલાં શાહરૂખ વિશે વાત કર્યા બાદ અભિજીતે હવે સલમાન વિશે કહ્યું કે તે મારી નફરતને પણ લાયક નથી. 

એક વાતચીતમાં અભિજીતને સલમાન ખાન સાથેના તેના સમીકરણ વિશે પૂછવામાં આવ્યું હતું અને તેઓએ કહ્યું કે, સલમાન તેની સદ્ભાવનાને કારણે જ સફળ થયો છે, તે ભગવાન નથી અને તેણે પોતાને એવો માનવો જોઈએ નહીં. 

અભિજીતે વધુમાં કહ્યું કે તેણે ક્યારેય સલમાનના સમર્થનમાં ટ્વિટ કર્યું નથી. તેઓએ કહ્યું, લોકો કેવી રીતે વિચારી શકે છે કે હું સલમાન ખાન જેવા વ્યક્તિનું સમર્થન કરી શકું જે ફક્ત દુશ્મન દેશના કલાકારોને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાન પ્રત્યે પોતાની વફાદારી દર્શાવવા માટે તેણે ઘણા મોટા ભારતીય ગાયકોને પાકિસ્તાની ગાયકો સાથે રિપ્લેસ કર્યા છે. 

અભિજીતે તે પાકિસ્તાની કલાકારોના નામ લીધા ન હતા જેમણે સલમાને પ્રમોટ કર્યા ન હતા પરંતુ રાહત ફતેહ અલી ખાનના સ્થાને અરિજીત સિંહનો સંદર્ભ લીધો હતો. તેઓએ કહ્યું કે, અરિજીત દેશનો શ્રેષ્ઠ ગાયક છે અને તેણે સલમાન પાસેથી કામની ભીખ માંગવાની જરૂર નહોતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎