:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અલ્હાબાદ હાઈકોર્ટે માંગ્યો જવાબ: પાન-મસાલા ગુટકાના પ્રચાર માટે બોલીવુડ સુપરસ્ટારોને નોટિસ

top-news
  • 11 Dec, 2023

શાહરૂખ ખાન, અક્ષયકુમાર અને અજય દેવગનને પાન મસાલાનું પ્રમોશન કરતી જાહેરાત કરવા બદલ કેન્દ્ર સરકારે નોટિસ પાઠવી છે. કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચની અવમાનના અરજી પરનાં જવાબમાં આ માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચને માહિતી આપી છે કે, પાન મસાલાની જાહેરાતનાં કેસમાં શાહરૂખ, અજય અને અક્ષયને નોટિસ પાઠવવામાં આવી છે.

આ કેસમાં કેન્દ્ર સરકારના વકીલનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ પણ આ કેસની સુનાવણી કરી રહી છે, તેથી આ અરજીને ફગાવી દેવી જોઈએ. આ મામલે આગામી સુનાવણીની તારીખ 9 મે, 2024નાં રોજ યોજાશે.

અરજી દાખલ કરનાર એડવોકેટ મોતીલાલ યાદવનું માનવું છે કે અભિનેતા શાહરૂખ, અક્ષય અને અજય દેવગનને પદ્મ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે, ત્યારે તેમનાં દ્વારા પાન મસાલાનો પ્રચાર કરવો બરાબર નથી. જાણીતા સ્ટાર્સ દ્વારા આવું કરવાથી લોકોમાં તેની નકારાત્મક અસર પડે છે.


ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎