:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

વિમાનમાં બેઠેલા મુસાફરોના શ્વાસ અધ્ધર થયા: પુના એરપોર્ટથી દિલ્હી માટે ટેક ઓફ કરતી ફ્લાઈટની વચ્ચે ટ્રેક્ટર આવી ગયું, ફ્લાઈટને થયું નુકસાન

top-news
  • 17 May, 2024

ઘણા લોકોને ફ્લાઈટમાં ટ્રાવેલ કરવાથી ડર લાગે છે. જોકે જો આજ ડર વાસ્તવિકતામાં પરિણમે તો શું થાય. આવી જ એક ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટમાાં બની હતી. ગુરુવારે પુનાના એરપોર્ટ પર લગભગ 200 મુસાફરો એવા સમયે ફસાઈ ગયા હતા, જ્યારે દિલ્હી જનારી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ રનવે તરફ ટેક્સી કરતી વખતે એક સામાન લઈ જતા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી.

એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટક્કરના કારણે વિમાનની એક પાંખ અને ટાયરને નુકસાન થયું હતું. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે વિમાનમાં લગભગ 200 મુસાફરો બેઠલા હતા. જોકે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તમામ યાત્રીઓ અને ડ્રાઈવર હાલ સુરક્ષિત છે. 

રિપોર્ટ મુજબ આ દુર્ઘટના ત્યારે સામે આવી છે, જ્યારે એર ઈન્ડિયા AI-858 ફ્લાઈટ સાંજે 4 વાગ્યે પુનાથી ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. વિમાન ક્ષતિગ્રસ્ત થવાના કારણે ફ્લાઈટમાં વિલંબ થયો હતો અને તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટના પછી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎