:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

લાલુએ ચૂંટણી અંગે કહી મોટી વાત: આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું- માહોલ ઈન્ડિયા ગઠબંધનના પક્ષમાં, બંધારણ વિરોધી એવી ભાજપનો સફાયો થશે

top-news
  • 18 May, 2024

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આજે મોટી વાત કહી છે.  લાલુ પ્રસાદે કહ્યું કે હાલ સમગ્ર માહોલ ઈન્ડિયા બ્લોકના પક્ષમાં છે અને બંધારણ વિરોધી એવા ભાજપનો સફાયો થશે. લાલુ પ્રસાદ યાદવ આજે સારણમાં પાર્ટીની ઉમેદવાર અને પોતાની દિકરી રોહિણી આચાર્ય માટે ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્ર અને બિહારની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર માહોલ ઈન્ડિયા બ્લોકના પક્ષમાં છે. બિહારમાં ઈન્ડિયા બ્લોકના પક્ષમાં હવા છે. 

વધુમાં તેમણે દાવો કરતા કહ્યું કે જ્યાં હું ઉભો છું, ત્યાંથી રોહિણી આચાર્ય વધુ મતોથી જીતી રહી છે. હું રોહિણીની જીતને લઈને આશ્વાસ્ત છું, એટલે જ દાવો કરી રહ્યો છું. લાલુએ વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી બંધારણ વિરોધી છે અને તેનો સફાયો થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ચાર તબક્કામાં વોટિંગ થઈ ચુક્યું છે. હવે પાંચમાં અને છઠ્ઠા તબક્કાનાં પ્રચાર પર ભાર મુકવામાં આવી રહ્યો છે. પાંચમાં તબક્કામાં 20 મેના રોજ બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત 49 સીટો પર મતદાન થશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎