:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરવાનો મામલો: આરોપી વિભવ કુમારને દિલ્હીની તીસ હજારી કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવવામાં આવી

top-news
  • 27 May, 2024

સ્વાતિ માલીવાલની સાથે કથિત મારામારીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારની જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. તેમણે તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ એડિશનલ સેશન જજ સુશીલ અનુજ ત્યાગીએ તેમને રાહત આપવાથી ઈન્કાર કર્યો હતો.

વિભવ કુમાર પર 13 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી આવાસ ખાતે સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. દિલ્હીની એક કોર્ટ દ્નારા તેમની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી.

કોર્ટના એક આદેશ પછી તેમને 24 મેથી ચાર દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ 28 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. દિલ્હી સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમારને આ પહેલા પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

સ્વાતિ માલીવાલના દાવા મુજબ, 13 મેના રોજ વિભવ કુમારે તેમની પર હુમલો કર્યો હતો અને તેણે કહ્યું કે તે પિરિયડમાં છે, તેમ છતાં તેઓ અટક્યા નહોતા. હુમલા પછીથી સ્વાતિ માલિવાલે કહ્યું હતું કે તેમને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે. 

આપના રાજ્યસભા સાંસદ માલીવાલના દાવા મુજબ સીએમ આવાસમાં વિભવ કુમાર તેમની તરફ બુમો પાડતા અવ્યા હતા, ધમકી આપી અને તેમને કથિત રીતે ગાળો પણ આપી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિભવે ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો, તેમને ઘસેડ્યા અને સેન્ટર ટેબલ પર તેમનું માથું પછાડ્યું હતું. 

દિલ્હી પોલીસે તેમના રિમાન્ડ રિપોર્ટમાં કહ્યું કે આ મારપીટનો મામલો એક ગંભીર મામલો છે, જ્યાં ક્રૂર રૂપથી કરવામાં આવેલો હુમલો ઘાતક સાબિત થઈ શક્યો હોત. પોલીસે એવો પણ આરોપ લગાવ્યો કે કુમાર તપાસમાં સહયોગ કરી રહ્યાં નથી.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આ એક ગંભીર મામલો છે, જ્યાં એક સાર્વજનિક હસ્તી, સંસદ સભ્ય પર ખરાબ રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘાતક સાબિત થયો હોત. સવાલો છતાં, આરોપીએ તપાસમાં સહયોગ કર્યો નથી અને જવાબ આપવામાં આનાકાની કરી છે.