:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

લોકસભા ચૂંટણીના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો: નોર્થ ઈસ્ટ દિલ્હીના કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમારને આઠ લોકોએ માર્યા, કાળી સહી પણ ફેંકી

top-news
  • 18 May, 2024

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નોર્થ ઈસ્ટ દિલ્હીનાં ઉમેદવાર કન્હૈયા કુમારને સાતથી આઠ લોકોએ જાહેરમાં માર માર્યો હતો. આ સિવાય તેમની પર કાળા રંગની સહી પણ ફેકવામાં આવી હતી. મારમારવાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. કન્હૈયા કુમાર પર હુમલો કરનાર પૈકીના બે હુમલાખોરોએ જણાવ્યું હતું કે કન્હૈયાએ દેશને તોડવા અંગે અને ભારતની આર્મી વિરુદ્ધનું નિવેદન આપ્યું હોવાના પગલે તેમને મારમારવામાં આવ્યો હતો. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કન્હૈયા કુમારની નજીક આવે છે અને પહેલા તેમને માળા પહેરાવે છે અને પછી અચાનક કન્હૈયા કુમારને લાફો ઝીંકી દે છે. આ ઘટનાનો વીડિયો જોતા એવું લાગે છે કે જાણે આ ઘટના પૂર્વાયોજિત હતી. 

કન્હૈયા કુમારના કાર્યાલય દ્વારા આ મામલે ભાજપ સાંસદ મનોજ તિવારીને દોષિત ઠેરવાયા છે અને તેમના પર આરોપ મઢવામાં આવ્યા છે. કન્હૈયા કુમારના કાર્યાલય વતી એવું કહેવામાં આવ્યું હતું કે કન્હૈયાને મળી રહેલું જંગી સમર્થન મળી રહ્યું છે તેનાથી નારાજ મનોજ તિવારી તેમના સાથી ગુંડાઓને મોકલીને કન્હૈયા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જનતા તેનો જવાબ આપશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎