:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

નવી સરકારની રચના: રાષ્ટ્રપતિએ PM મોદીને આપ્યું નવી સરકાર બનાવવાનું આમંત્રણ, 9 જૂને શપથગ્રહણ સમારંભ યોજાશે

top-news
  • 07 Jun, 2024

રાષ્ટ્રપતિ મુર્મૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. નવી સરકારનો શપથગ્રહણ સમારંભ 9 જૂને એટલે કે રવિવારે યોજાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યાં હતા અને તેમના ખબર-અંતર પુછ્યા હતા. 

લોકસભા ચૂંટણીમાં જીત મળ્યા પછી એનડીએ હવે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. શુક્રવારે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને તેની સાથે જ રાષ્ટ્રપતિને સમર્થક સાંસદોનું લિસ્ટ સોંપી દીધું છે. નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિને મળ્યાં હતા. શપથ ગ્રહણની તારીખ પણ સામે આવી ગઈ છે. નવી સરકારનું શપથ ગ્રહણ આગામી 9 જૂને થશે.

અગાઉ જ્યારે બેઠક યોજાઈ ત્યારે અનુપ્રિયા પટેલ, જીતનરામ માંઝી, ચિરાગ પાસવાન, એકનાથ શિંદે, અજિત પવાર, નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, એચડી કુમારસ્વામી, પવન કલ્યાણ, અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથ સિંહ મંચ પર હાજર હતા. NDAની આ બેઠક જૂના સંસદભવનમાં થઈ હતી.

આ બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા. આ દરમિયાન બીજેપી સાંસદ રાજનાથ સિંહે કહ્યું, 'હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું. આજે અમે અહીં NDAના નેતાની પસંદગી કરવા આવ્યા છીએ. હું માનું છું કે આ તમામ પદો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી યોગ્ય છે.

આ પ્રસંગે અમિત શાહે કહ્યું, 'આ પ્રસ્તાવ ફક્ત અહીં બેઠેલા લોકોની ઈચ્છા નથી. દેશના 140 કરોડ લોકોનો આ પ્રસ્તાવ છે. આ દેશનો અવાજ છે કે પીએમ મોદી આગામી 5 વર્ષ માટે દેશનું નેતૃત્વ કરે. તે જ સમયે, એનડીએ સંસદીય દળની બેઠકમાં, ભાજપના સાંસદ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદીને લોકસભાના નેતા અને ભાજપ અને એનડીએ સંસદીય પક્ષોના નેતા તરીકે નામાંકિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

એનડીએ સંસદીય દળની બેઠકમાં ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, 'અમે બધાને અભિનંદન આપીએ છીએ કારણ કે અમને પ્રચંડ બહુમતી મળી છે. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું છે કે પીએમ મોદીએ 3 મહિના સુધી ક્યારેય આરામ કર્યો નથી. તેમણે દિવસ-રાત પ્રચાર કર્યો. તેણે એ જ ભાવનાથી શરૂઆત કરી અને એ જ ભાવના સાથે અંત પણ કર્યો. આંધ્ર પ્રદેશમાં અમે 3 જાહેર સભાઓ અને 1 મોટી રેલી કરી. આનાથી આંધ્રપ્રદેશમાં ચૂંટણી જીતવામાં મોટો તફાવત સર્જાયો હતો. પીએમ મોદીએ દેશ માટે કામ કરવું જોઈએ, અમારો તેમને સંપૂર્ણ સમર્થન છે.નીતિશ કુમારે પણ સમર્થન આપ્યું હતું.