મણિનગરમાં ભેખડ ધસી પડતા એકનું મોત, 3 ગંભીર, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan14022024_085936_content_image_0d729440-233a-4049-afdf-c87a2ffe9eb9.jpeg)
- 14 Feb, 2024
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે..સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ભેખડ ધસી પડતા અંદાજે 4થી 5 લોકો દટાયા હતા. જે પૈકી બે મહિલા સહિત ત્રણ લોકોનું રેસ્કયૂ કરાયૂ હતું. હાલ આ ઘટનામાં એકનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતાજ ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન ફાયર બ્રિગેડની ટીમને એક મહિલા અને એક પુરુષ સહિત ત્રણનું રેસ્કયૂ કરવામાં સફળતા હાથ લાગી હતી.
આ ઘટના કન્ટ્રક્શન સાઇટ પર બની છે. ફાયર સ્ટેશનની બાજુમાં આવેલી સાઇટ ઉપર ઘટના બની છે.બેંક પાસે જ્યારે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન ઘટી હતી. શ્રમિકો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન ભેખડ ધસી પડી,
આ અકસ્માતની ઘટના અંગે સબ ઓફિસર મણિનગર ફાયર સ્ટેશન, પ્રવિણસિંહ સોલંકીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, અમને 11.45 કલાકે આ અંગેનો કોલ મળ્યો હતો કે, શ્રીજી ઇન્ફ્રામાં કામ ચાલુ છે અને ત્યાં ભેખડ ધસી પડી છે. અમે સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરીને ત્રણ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરાયુ છે.
તેમના આવતા પહેલા ઓછી માટીમાં દટાયેલા એક બહેનને બહાર કાઢીને એલ. જી. હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ