:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

માતૃભાષા દિને ચોંકાવનારો ઘટસ્ફોટ : વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ "નાપાસ" ગણિત, વિજ્ઞાન બાદ સૌથી અઘરો વિષય.!!!!

top-news
  • 21 Feb, 2024

રાજ્યમાં ભણતા વિદ્યાર્થીઓનું માતૃભાષા પર જ જો પ્રભુત્વ ન હોય તો બીજા વિષય ના જ્ઞાન અંગે સવાલ ઉઠે તે માં કોઈ શંકાને સ્થાન નથી.  તમારો પાયો જ કાચો હશે તો આગળ વધવવાનો પ્રશ્ન રહેતો નથી.વિશ્વ માતુભાષા દિવસે એક ચોંકાવનારો અહેવાલ પ્રાપ્ત થયો છે. તે મુજબ ગુજરાતમાં છેલ્લાં કેટલાક વર્ષના ધોરણ 10નાં ગુજરાત બોર્ડના પરિણામ પર નજર કરવામાં આવે તો અંદાજે 1 લાખ જેટલાં વિદ્યાર્થિઓ ગુજરાતીમાં જ નાપાસ થતાં જણાય છે. 

ગત વર્ષે ધો.10ની પરીક્ષામાં કુલ 6.25 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી હતી જેમાંથી 96286 જેટલાં નાપાસ થયા હતા. 2022માં સ્થિતિ વધારે ખરાબ હતી. એ વખતે 6.64 લાખ પરીક્ષાર્થીઓમાંથી 1.18 લાખ નાપાસ થયા હતા. 

શિક્ષણવિદ્ન ના મતે ગણિત, વિજ્ઞાન બાદ જે વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થયા હોય તે વિષય છે ગુજરાતી. આજે ઘણા વિદ્યાર્થિઓની માતૃભાષા ગુજરાતી હોવા છતાં યોગ્ય રીતે ગુજરાતી લખતાં તો દૂર વાંચતા પણ નથી આવડતી. હવે માતૃભાષાની દિશામાં વિદ્યાર્થિઓનું સ્તર સુધરે તે દિશામાં શરૂઆતથી જ મહેનત કરવી પડશે.

પાયો જ કાચો હશે તો તેનાથી આગળ જતાં ગુજરાતીમાં નબળું પરિણામ આવે તેવી સંભાવના વધી જાય છે. તેથી બાળક સાથે ઘરમાં માતૃભાષામાં સવાંદ થાય તેવો આગ્રહ દરેક માતા પિતા એ રાખવો પડશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎