:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચાલુ વર્ષનું બજેટ “વિકસિત ગુજરાત થી વિકસિત ભારત” સત્રના બીજા દિવસે અંદાજપત્ર ,પાંચ સરકારી-બે બિનસરકારી સંકલ્પ રજૂ

top-news
  • 29 Feb, 2024

રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે ૧૫મી વિધાનસભાનું ચોથું સત્ર પૂર્ણ થતા મીડિયાને સંબોધતા કહ્યું હતું કે ,વર્ષ ૨૦૨૪-૨૫ નું બજેટ સત્ર “વિકસિત ગુજરાત થી વિકસિત ભારત” સંકલ્પ પૂર્તિ તરફ પ્રથમ કદમ છે. આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રામમંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે વડાપ્રધાનનો આભાર માનતો આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો . જેમાં ગૃહના તમામ સભ્યો સહભાગી બન્યા હતા.

સત્ર દરમિયાન ગીતાસારનો પ્રસ્તાવ રજુ કરાયો હતો જેને ગૃહના તમામ સભ્યોએ સર્વસંમતિ થી પસાર કર્યો હતો. ૧ લી ફેબ્રુઆરી થી શરુ થયેલ બજેટ સત્ર આજે સાનુકૂળ રીતે પૂર્ણ થયું છે. આ સત્રમાં કુલ ૧૯ કામકાજના દિવસોમાં ૨૫ બેઠકોનું આયોજન થયું જેમાં છ ડબલ બેઠકો રહી. રાજ્યપાલના સંબોધનથી શરૂ થયેલ આ સત્ર માં બીજા દિવસે અંદાજપત્ર રજૂ કરાયું હતું. રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે ત્રણ બેઠકો, અંદાજપત્ર પર  સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકો અને માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ દિવસ ફાળવવામાં આવ્યા હતા.

આ સમગ્ર સત્ર દરમિયાન પાંચ સરકારી વિધાયક બે બિનસરકારી સંકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા . બે પૂરક વિનિયોગ અને વિનિયોગ વિધેયક  રજૂ કરાયા હતા. જે તમામ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા જે બદલ મંત્રીએ ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો હતો. સત્રના પ્રશ્નોતરી સમયકાળ દરમિયાન કુલ ૨૧૮ પ્રશ્નો પર  ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોની ચર્ચામાં ગૃહના તમામ સભ્યો ઉત્સાહપૂર્ણ જોડાયા હતા. આ સત્ર દરમિયાન ૬ પૂર્વ દિવંગત ધારાસભ્યોને શોકાંજલી અર્પણ કરાઇ હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎