સિંધી સમાજના ઈષ્ટદેવ “ઝુલેલાલ”ના પ્રાગટય દિનની ઉજવણી: સમસ્ત સમુદાયને ચેટીચાંદ પર્વની શુભેચ્છાઓ : મેયર
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10042024_122047_WhatsApp-Image-2024-04-10-at-2.00.02-PM-640x299.jpeg)
- 10 Apr, 2024
દરિયાલાલ – જુલેલાલ મંદિર, ગાંધીનગર દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ “ઝુલેલાલ” ના પ્રાગટય દિન નિમિત્તે ઉજવાતા ચેટીચાંદના પર્વે “જન્મોત્સવ” કાર્યક્રમનું આયોજન સેકટર-30 ખાતે કરવામાં આવ્યું.
આ અવસરે GMC મેયર હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી ભગવાન ઝૂલેલાલના દર્શન કરીને પ્રભુ સૌના જીવનમાં નવઊર્જાનો સંચાર કરે તેવી પ્રાર્થના સહ સમસ્ત સિંધી સમુદાયને ચેટીચાંદ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં કાઉન્સિલરો સિંધી સમાજના આગેવાનો , હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ