સુરતમાં અચાનક રોગચાળો ફાટી નીકળ્યો : એક મહિલા અને બાળકનું ઝાડા-ઉલટીથી મૃત્યુ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11042024_094909_87959130.webp)
- 11 Apr, 2024
પ્રકૃતિના બદલાતા મિજાજને પગલે શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થાય છે, ઠંડીની સાથે સાથે ગરમીનો પણ અહેસાસ થાય છે. બદલાયેલા આ વાતાવરણને કારણે અનેક શહેરોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં હાલ માં સુરતમાં અચાનક રોગચાળો વકર્યો છે. સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યા બાદ ઝાડા ઉલટીના અસંખ્ય કેસ નોંધાયા છે.
મનપા દ્વારા રોગચાળાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે, એવામાં ઝાડા-ઊલટી થી બે લોકોના મોત થયાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ સચિન GIDC વિસ્તારમાં અને ગોડાદરા વિસ્તારમાં બે વ્યક્તિના મોત થયા છે. આ તરફ હવે સુરત મ્યુનિશિપલ કોર્પોરેશનની ટીમે આ વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે.
ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો વકર્યો છે. આ દરમિયાન સુરતના સચીન GIDCમાં રહેતા 2 વર્ષના વિષ્ણુ પાસવાન અને ગોડાદરા વિસ્તારમાં અને એક મહિલાનું ઝાડા-ઉલટીને કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. ઝાડા-ઉલટીના કેસ વધતા મનપાનુ તંત્ર દોડતું થયુ છે. વિગતો મુજબ અહીં એક મહિલા અને એક બાળક ઝાડા-ઉલટીના કારણે મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. જેણે લઈ હવે મનપાની ટીમે પાણીથી કોઈ ચેપ લાગ્યો હોય કે કેમ તે માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ