વિરોધની ઐસી તૈસી કરીને રૂપાલા ભરશે ફોર્મ : રાજકોટમાં રેલી યોજીને કરશે શક્તિ પ્રદર્શન
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16042024_051947_The_Union_Minister_for_Fisheries,_Animal_Husbandry_and_Dairying,_Shri_Parshottam_Rupala (2).jpg)
- 16 Apr, 2024
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. આ રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે શકતી પ્રદર્શન કર્યું. ત્યારાબાદ રૂપાલા જંગી સભાને સંબોધશે. પરસોતમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત છે. 12.39 ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે.
રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આજે પુરુષોતમ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરવાના છે. જંગી સભા સંબોધવાના છે. સૌપ્રથમ તેઓ આજે એટલે કે, 16મી એપ્રિલે સવારે 9 વાગ્યે શહેરના યાજ્ઞિક રોડ ઉપરના જાગનાથ મંદિરે મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું. જે બાદ તેઓ રેલી મારફત બહુમાળી ભવન ચોક જવા રવાના થયા છે. રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતે સવારે 10:30 વાગ્યાની આસપાસ જંગી સભાને સંબોધન કર્યું હતું , જે બાદ તેઓ બપોરે 12.39 મિનિટે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જશે. રૂપાલાના ડમી ઉમેદવાર તરીકે લોકસભાના પૂર્વ સાંસદ કુંડારિયા છે. જોકે, રૂપાલાની આજની સભાને લઈને બહુમાળી ભવન ચોક ખાતે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવી દઈએ કે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. તેની સાથેજ રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. દરેક પક્ષે પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે, તેની સાથે ઉમેદવારો પ્રચાર માટે સભાઓ પણ ગજવવા લાગ્યા છે. આમ દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. આમ તેની સાથે ચુંટણીમાં જીત મેળવવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ચૂંટણી પંચ દ્વારા તા. 12.04.2024 નાં રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લા તારીખ 19.4.2024 ઘોષિત કરવામાં આવી છે, ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 20.4.2024 છે. તેમજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ તા. 22.4.2024 છે. જ્યારે ગુજરાતમાં મતદાન. 7.5.2024 રોજ યોજાનાર છે, અને મતગણતરી 4.6.2024 રોજ થશે .
એવાં પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ તેમજ કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા આજથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઉમેદવારોએ કાઢેલા વિજય મુર્હતમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે. એવામાં ચુંટણી પ્રચાર કરતી વેળાએ આપેલ વિવાદિત નિવેદનને પગલે ચર્ચામાં આવેલા રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પણ આજે પોતાનું ફોર્મ ભરવા જઈ રહયા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ