જસદણ તાલુકામાં 400થી વધુને ફૂડ પોઈઝનિંગ: પ્રસાદ લીધા બાદ અસર થઈ, હોસ્પિટલમાં દાખલ ....
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan30042024_054859_WhatsApp Image 2024-04-30 at 11.17.55_2752e3a1.webp)
- 30 Apr, 2024
ઉનાળાની ઋતુમાં હાલ ભયંકર ગરમી પડી રહી છે. એમાં દરેકને તેની અસર થઈ રહી છે. પશુ-પંખી થી માંડીને માનવી દરેક તેનાથી ત્રાસી ગયા છે, એવામાં ખાવાની વસ્તુ બગડે તો નવાઈ શું ??? આવી જ એક ઘટના આજે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાથી આવી હતી. જેમાં ગોખલાણા ગામે માતાજીના માંડવામાં સાંજે પ્રસાદ લીધા બાદ ફુડ પોઈઝનિંગ અસર થઈ હોવાની ઘટના સામે આવી છે.હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે , પ્રસાદ ખરાબ થવાનું કારણ
ગરમી છે કે બીજું કઈ તેની તપાસ બાદ માહિતી મળી શકશે ...
ગોખલાણા સમસ્ત ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 1000થી વધુ લોકો આવ્યા હતા. પ્રસાદ લીધા બાદ 400થી વધુ લોકો સહિત બાળકોનો પણ સામેલ હતા. તમામને પ્રસાદ લીધા બાદ ઊલટી થવા લાગી હતી. જેમાં 5થી 12 વર્ષના બાળકોને વધુ અસર જોવા મળી હતી.અસરગ્રસ્તોને તાત્કાલિક જસદણની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા.
હાલ તમામ અસરગ્રસ્તો સંપૂર્ણ ભયમુક્ત છે. ઉલ્લેખનીય છે કે ગોખલાણા ગામે પાણીના ટાંકા પાસે આવેલા બાવળવાળી મેલડી માતાના મંદિરે દર વર્ષે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આજુબાજુના ગ્રામજનોને પ્રસાદનું આમંત્રણ હોવાથી પ્રસાદ લેવા પહોંચ્યા હતા. મળતી વિગતો અનુસાર, જમણવારમાં ફ્રુડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી હતી. જસદણની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. આરોગ્ય તંત્ર પણ ગોખલાણા પહોંચી પ્રસાદને સેમ્પલ લીધા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ