:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગેનીબેન ઠાકોરનો મોદી પર પલટવાર : બનાસડેરી મામલે રોકડું પરખાવ્યું ...

top-news
  • 04 May, 2024

લોકસભાની ચૂંટણીના મતદાનના બે તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે ,ત્રીજા તબ્બકા માટેનું કાઉન્ટડાઉન શરુ થયું છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો છેલ્લી ઘડીએ ગુજરાતમાં પ્રચાર માટે રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓને મોકલી રહ્યા છે. એવામાં કોંગ્રસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આજે ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે. તેઓ બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર અભિયાનમાં જોડાયા , આ દરમિયાન તેમણે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું, ત્યારબાદ ગેનીબેને પણ સભાને સંબોધિત કરી હતી .

ગેનીબેને તેમના સંબોધનમાં પીએમ મોદીના ચુંટણી પ્રચાર દરમિયાન કરેલા ભાષણનો ઉલ્લેખ કરી  તેમને પલટવાર કર્યો હતો . મોદીએ તેમના ભાષણમાં વારસાઈ ટેક્સ મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ગેની બેને આ મુદ્દા પર તેમણે આકરા પ્રહાર કરી તેમના પર પલટવાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત 1 મે ના રોજ પીએમ મોદી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે વારસાઈ ટેક્સ મામલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે,કોંગ્રેસ જીતી તો તમારી 2 ભેંસમાંથી એક ભેંસ સરકાર લઈ જશે. અને ગેનીબેને આજ વાત પકડી લઈને મોદી ને રોકડું પરખાવ્યું હતું. 

ગેનીબેન ઠાકરે કહ્યું કે, પીએમ મોદીએ બનાસકાંઠામાં આવીને કહ્યું હતું કે, કોંગ્રેસ આવશે તો તમારી પાસે બે ભેંસો હશે તો એમાંથી એક ભેંસ લઈને બીજાને આપી દેશે. ત્યારે હું બનાસકાંઠાની જનતાને કહું છું કે, આપણી ભેંસો આપણી પાસે જ રહેશે. અમારી ભેંસના દૂધ બનાસ ડેરીમાં ભરાવાના જ છે, આ એ જ બનાસ ડેરી છે જે તમે પાટણને આપી દીધી ,એ હવે અમને પાછી આપી દો .

મહત્વનું બાબત એ છે કે, હાલમાં બનાસકાંઠામાં બનાસ ડેરી મામલે રાજકારણ ગરમાયું છે.  બનાસ ડેરીના અત્યારે ચેરમેન શંકર ચૌધરી છે અને તેઓ ભાજપના સભ્ય છે.જ્યારે  અત્યારે તેમની હેઠળ સમગ્ર સંસ્થા છે.  ત્યારે બનાસ ડેરીના સત્તાધીશો દ્વારા ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામા આવી રહ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎