:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

એક એક વોટ અમૂલ્ય જો જો વેડફાઇ ન જાય : કાર્યકરોને પાટિલની રાજકીય શિખામણ ...

top-news
  • 06 May, 2024

આવતીકાલે દેશભરમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતની ૨૬ પૈકી ૨૫ લોકસભા બેઠકો તથા વિધાનસભાની પેટા ચૂંટણીની પાંચ બેઠકો માટેમતદાન થવા જઈ રહ્યું છે. દેશભરમાં ગરમીના પ્રકોપને જોતાં મતદાન મંગળવારે સવારે ૭થી સાંજના ૬ વાગ્યા દરમિયાન રાજ્યમાં પચાસ હજારથી વધુ મતદાન મથકો મતદાન થવાનું છે. જેથી વધુને વધુ નાગરિકો ઠડાં પહોરે મતદાન કરવા જઈ શકે આ મતદાન પૂર્વે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજ્યના તમામ મતદારોને મત આપવા માટે અપીલ કરી છે અને સાથે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તમે સૌ મતદાનની પવિત્ર ફરજ નિભાવશો જ !. 

વધુમાં સી. આર. પાટિલે ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણાં દેશમાં સર્વાંગી વિકાસ અને વિકસિત ભારતનો યજ્ઞ આરંભ્યો છે, જેથી તમારો મત એ યજ્ઞમાં એક મૂલ્યવાન આહુતિ સાબિત થઈ શકે છે તેથી મતદાન અવશ્ય કરજો. પાટીલે જણાવ્યું છે કે, ૭મી મેના રોજ મત આપવા જાવ ત્યારે એક નજર તમારા સંતાનો કે એમના સંતાનો પર કરજો.. અને નક્કી કરજો કે તમારો મત એમનાં વધુ સલામત, વધુ ઉજ્જવળ ભ‌વિષ્ય માટે હશે. એક નજર તમારી બહેન પર, તમારી માતા પર.. અને એમને મળતા સન્માન, સલામતી, અધિકાર વિશે વિચારજો. તમારો મત એમના માટે હશે. વિતેલા દસ વર્ષોએ ભારતીય હોવાનું સન્માન અપાવ્યું છે. દુનિયામાં કોઇપણ ખૂણે અભિમાનપૂર્વક ‘આઇ એમ ફ્રોમ ઇન્ડિયા’ એવું કહી શકાય છે. તમારો મત ભારતીય હોવાના એ અભિમાનમાં વૃદ્ધિ માટે હશે.

‘તમે જ્યારે મત આપવા માટે EVMનું બટન દબાવો એ પહેલાં આંખ બંધ કરજો, આંખ સામે તમને અસંખ્ય કમળ દેખાશે. આ કમળ મા સરસ્વતી દેવીના આશીર્વાદ હશે,’ તેમ કહી પાટીલે ઉમેર્યું છે કે,‘ઘણાં લોકો એવું વિચારતા હોય છે કે અમે મત આપવા ન જઇએ તો ચાલે, અમારા એક મતથી શું ફર્ક પડે ?.’ દૂધ અને પાણીવાળી વાર્તા ટાંકીને એક મત રાષ્ટ્રહિત કેટલો મહત્વનો છે તે સમજાવ્યું હતું. 

‘તમારા એક મતથી ખૂબ ફર્ક પડે છે,’ તેમ કહી ભાજપ પ્રમુખે ઉમેર્યું છે કે, ‘કારણ કે તમારો એક મત રાષ્ટ્ર માટે છે. તમારો એક મત નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત, તમારા, તમારા પરિવારના વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે છે. તમારા ભવિષ્યને નજર ના લાગે એના માટે છે.’
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎