:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

8 મે વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે ઉજવાય છે : રેડક્રોસની ગુજરાત શાખાના પ્રમુખ અને રાજ્યપાલ દેવવ્રતજીની માનવીય મિશનમાં સહયોગની અપીલ

top-news
  • 08 May, 2024

રાજ્યપાલ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ આચાર્ય દેવવ્રતજીએ 8 મી મે, વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણીમાં ભાગ લીધો અને આ પ્રસંગે સંબોધતા કહ્યું કે જરૂરિયાતમંદ વ્યક્તિઓની પીડા ઓછી કરવા માટે રેડક્રોસ સોસાયટી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે . સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લા અને 92 તાલુકા શાખાઓ સાથે રેડક્રોસ માનવીય સેવા માટે હંમેશા તત્પર હોય છે. ઉપરાંત રેડક્રોસ દ્વારા સ્વૈચ્છિક  રક્તદાન અને નેત્રદાનમાં દેશમાં પ્રથમ ગુજરાત રેડક્રોસના બ્લડ સેન્ટર્સ વર્ષે 2,00,000 થી વધારે રક્ત યુનિટ એકત્ર કરીને જરૂરિયાતમંદોને પહોંચાડ્યું છે. 

રેડક્રોસના સંસ્થાપક જીન હેનરી ડૂનન્ટનો જન્મદિવસ 8 મી મે વિશ્વ રેડક્રોસ દિવસ – વર્લ્ડ રેડ ક્રેસેન્ટ દિવસ તરીકે ઉજવાય છે. આ અવસરે રાજ્યપાલ દેવવ્રતજી કહ્યું કે ગુજરાતમાં 24 રેડક્રોસ બ્લડ સેન્ટર્સ અને 16 બ્લડ સ્ટોરેજ યુનિટ હાલમાં કાર્યરત છે. ઉપરાંત 8 વધુ બ્લડ સેન્ટર્સ સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આધુનિક ઉપકરણોથી સુસજ્જ 14 ફિઝિયોથેરાપી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. સર્વાઈકલ કેન્સર અને સ્તન કેન્સર નિયંત્રણ માટે 10,000 જેટલી મહિલાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં 11 પેથોલોજી લેબોરેટરી પણ નાગરિકોની સેવામાં છે. 33,000  સ્વયંસેવકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે, જે કોઈ પણ પ્રકારની આપદાઓમાં સેવા આપી શકે.  6,00,000  યુવાનોને પ્રાથમિક સારવાર અને સી.પી.આર. નું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું છે. 

8 મી મે એ વિશ્વ થેલેસેમિયા દિવસ પણ મનાવવામાં આવે છે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત રેડક્રોસ દ્વારા થેલેસેમિયા અને સિકલસેલ નિવારણ અભિયાન  હાથ ધરવામાં આવ્યું છે, જે ભારતમાં આ પ્રકારનું પહેલું અભિયાન છે.  ગુજરાત રેડક્રોસ દ્વારા થેલેસેમિયા મેજર બાળકોને રક્ત યુનિટ નિઃશુલ્ક આપવામાં આવે છે. એટલું જ નહીં 550 થી વધુ થેલેસેમિયા મેજર બાળકોને આ દુનિયામાં આવતા અટકાવવામાં સફળતા મળી છે. આ વર્ષ ‘માનવતાને જીવંત રાખીએ’ ની થીમ સાથે અમે ઉજવી રહ્યા છીએ .

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎