એશ્વર્યા ટેક્સટાઈલ ગ્રુપ પર આઈટીનાં દરોડા : તપાસના અંતે આવકવેરા વિભાગને મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09052024_073103_IT.jpg)
- 09 May, 2024
ગુજરાતના સુરત શહેરમાં ટેક્સટાઈલ ક્ષેત્રના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. સુરતની એશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીનાં દરોડા. કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવતી એશ્વર્યા ગ્રુપનાં માલિક રમેશ ડુમસિયા છે. 40થી વધુ અધિકારીઓની આવકવેરા વિભાગની ટીમ એક સાથે 12 જગ્યા પર દરોડા તેમજ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પલસાણા રોડ પર આવેલી એશ્વર્યા ડાઈંગ મીલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. એશ્વર્યા ગ્રુપની ઓફીસો, માલિકનાં ઘરે, માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલનાં ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.