:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સિવિલ હોસ્પિટલમાં અગદાનની સરવાણી વહી : દરિયાપુરના 60 વર્ષીય ખોડીદાસ રામજીભાઈ મેંણાએ એક લિવર, બે કીડનીનું દાન કર્યું

top-news
  • 10 May, 2024

સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સરવાણી વહી રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 152મા અંગદાતાનું દાન મળ્યું છે. 152મા અંગદાનની વાત કરીએ તો અમદાવાદ દરીયાપુરના રહેવાસી 60 વર્ષીય ખોડીદાસ રામજીભાઇ મેંણાને દરીયાપુર ઘર પાસે જ રોડ ક્રોસ કરતા કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તારીખ 05-05-2024ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલમાં સારવાર દરમિયાન તારીખ 08-05-2024ના રોજ તબીબોએ ખોડીદાસભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા.

152 અંગદાન થકી બે કીડની, એક લીવરનુ દાન..  
અચાનક આવી પડેલ આવી દુ:ખની ઘડીમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે મહેન્દ્રભાઇને ખોડીદાસભાઈના બ્રેઇનડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા બીજા ભાઇઓ સાથે વાત કરતા ત્રણેય ભાઇઓએ સાથે મળી ખોડીદાસભાઈનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. ખોડીદાસભાઈના અંગદાન થકી બે કીડની, એક લીવરનુ દાન મળ્યુ જેને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

152 અંગદાતાઓ થકી કુલ 474 વ્યકિતઓને જીવનદાન મળ્યું 
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ આ ક્ષણે જણાવ્યું હતું કે, ખોડીદાસભાઈના અંગદાનથી કીડની તેમજ લીવર ફેઇલ્યોરથી પીડાતા અને મૃત્યુની રાહ જોતા ત્રણ દર્દીઓને આ અંગો મળતા તેમની અંગો મળવાની પ્રતિક્ષા પૂરી થશે અને તેમને નવુ જીવન મળશે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 152 અંગદાતાઓ થકી કુલ 490 અંગોનું દાન મળેલ છે. જેના થકી 474 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎