:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજકોટ અગ્નિકાંડ મામલામાં મોટો નિર્ણય: અગ્નિકાંડના આરોપીઓનો કેસ કોઈ જ વકીલ લડશે નહીં, બાર એસોસિએશને લીધો મહત્વનો નિર્ણય

top-news
  • 27 May, 2024

રાજકોટનાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં બાર એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે. બાર એસોસિએશને નક્કી કર્યું છે કે આ કેસને કોઈ પણ વકીલ લડશે નહિં. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 33 લોકોનાં મૃત્યુ થયાં છે. આગ વિકરાળ હોવાથી થોડી જ મિનિટોમાં સમગ્ર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો. મૃતકો અત્યંત ખરાબ રીતે દાઝી ગયા હોવાથી તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાને કારણે રાજકોટના સ્થાનિક સત્તાવાળાઓ, ગેમ ઝોનના માલિકો, જવાબદાર અધિકારીઓથી લઈને ગુજરાત સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આટલી વિકરાળ આગ અંતે લાગી કઈ રીતે. 

ગુજરાત સરકારે આગનાં કારણોની તપાસ માટે એસઆઈટી બનાવી છે. જાણકારો કહે છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનમાં સિમેન્ટ કોંક્રીટનું બાંધકામ જ નહોતું. ફાયર બ્રિગેડનું કહેવું છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ ફાયર સેફ્ટી અંગેની પરવાનગી નહોતી લીધી. હવે સવાલ એ થાય છે કે જો ફાયર સેફ્ટીની પરવાનગી નહોતી લીધી તો પછી આ ગેમ ઝોનનું સંચાલન કેવી રીતે થતું હતું અને જો થતું હતું તો તેને રોકવાનો પ્રયાસ કેમ ન થયો?

પોલીસે આ મામલે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે 6 આરોપીઓનાં નામજોગ અને તપાસમાં જેમનાં નામ ખુલે તે તમામ સામે આઈપીસી કલમ 304, 308, 337, 338, 114, મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો પૈકી ધવલ કૉર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર તથા રેસ વે ઍન્ટર્પ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સામે તપાસ શરૂ કરી છે. પોલીસ એફઆઈઆરમાં જણાવાયું છે, આ તમામ ઇસમોએ આશરે 50 મીટર પહોળું તથા આશરે 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ ઊંચું લોખંડ અને પતરાનું ફૅબ્રિકેશનની મદદથી માળખું ઊભું કરીને તેમાં ગેમ ઝોન બનાવી દીધો હતો. પોલીસ એફઆઈઆરમાં એમ પણ જણાવાયું છે કે આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવાં કોઈ અસરકારક ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખ્યા વગર કે ફાયર બ્રિગેડની એનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવવામાં આવતો હતો.

એફઆઈઆરમાં જણાવાયું છે કે આ ગેમ ઝોનના સંચાલકોને તેમની જગ્યામાં સાદી કે ગંભીર ઈજા કે માનવ મૃત્યુ થવાની સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખીને ગુનો કર્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે જે. એસ. પાર્ટી પ્લોટ તથા આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુક્તપણે ધવલ કૉર્પોરેશનના પ્રોપરાઇટર અને રેસ વે ઍન્ટર્પ્રાઇઝના ભાગીદારો ટીઆરપી ગેમ ઝોન તરીકે ઉપયોગ કરીને ઇન્ડોર અને આઉટડોર ગેમની પ્રવૃત્તિ ચલાવતા હતા. જેમાં ઇન્ડોર ગેમ ઝોનનો વિભાગ બેથી ત્રણ માળ જેટલું ઊંચું અને આશરે 60 મીટર લાંબુ તથા આશરે 50 મીટર પહોળું ફૅબ્રિકેશનના સ્ટ્રક્ચર પર ચારેબાજુ પતરાથી કવર કરીને બનાવવામાં આવ્યું હતું.

આ ટીઆરપી ગેમ ઝોન સંપૂર્ણ ફૅબ્રિકેશનના સ્ટ્રક્ચર પર બનેલું હોવાનું જણાઈ આવે છે. જેમાં બેઝ તરીકે લોખંડની ઍન્ગલો અને ગેલ્વેનાઇઝનાં પતરાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવાયો હતો અને તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વાયરિંગ તેમજ ઍરકંડિશનરનાં વેન્ટ લાગેલાં હતાં. આ આખા ઝોનમાં આગને રોકીને મનુષ્યજીવનને બચાવી રાખી શકાય તે માટે જરૂરી ફાયર સેફ્ટીનાં સાધનો કાર્યરત જ નહોતા.