:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજકોટ અગ્નિકાંડનાં પગલે તંત્ર જાગ્યું: સરકારે તૈયાર કર્યો ખાસ પ્લાન, ફાયર ઓફિસરની નિમણૂંકને લઈને ગુજરાત સરકાર એક્ટિવ થઈ

top-news
  • 31 May, 2024

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 33 લોકોનાં મોત બાદ હાલ રાજ્ય સરકાર સફાળી જાગી છે. તેને અનુસરીને સરકારે કેટલાક ફેરફાર કરવાનો પણ નિર્ણય કર્યો છે. સરકાર હવે ખાનગી એકમોમાં એક ખાનગી ફાયર ઓફિસરની નિમણૂંક કરવા આદેશ આપી શકે છે. જે તે મોટા એકમો જ્યાં વધુ ભીડ એક્ઠી થાય છે તેવા એકમોમાં નિમણૂંક માટે આદેશ કરી શકે છે. 

રાજકોટમાં TRP ગેમિંગ ઝોનમાં 25 મેના રોજ લાગેલી આગમાં કેટલાક લોકો જીવતા ભૂંજાઈ ગયા, કેટલાય પરિવારો વેરવિખેર થઈ ગયા. આ અગ્નિકાંડને પગલે હવે રાજ્યમાં તંત્ર સફાળું જાગી ગયું છે. ત્યારે હવે અલગ-અલગ જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે અને ફાયર સેફટી અને ફાયર NOC ન હોય એવા ઘણા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે સરકાર ફાયર સેફ્ટીને લઈને નવા નિયમો બનાવવા પર વિચાર કરી રહી છે.


 
અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા ચાલી રહી છે. હવે સરકાર વધુ ભીડ થાય તેવા એકમોમાં ફાયર ઓફિસરની નિમણૂંક કરવાનો આદેશ આપી શકે છે. કોમર્શિયલ એકમોએ પ્રાઇવેટ ફાયર ઓફિસરની ભરતી કરવી પડશે. આગ લાગવાની ઘટનામાં જવાબદારી ફાયર ઓફિસરની રહેશે. સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. એવા મોટા એકમો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, ભીડ થતી હોય એવા એકમોમાં ફાયર ઓફિસરની નિમણૂંક કરવાનો આદેશ કરી શકે છે.

આવી જગ્યાઓમાં મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, સિનેમા હોલ, કોમ્યુનિટી હોલ સહિતના એકમોને આવરી લેવામાં આવશે. આવી જગ્યાઓ પર પ્રાઈવેટ ફાયર ઓફિસરની કરવી ભરતી પડશે. આમાં નિમણૂંક કરાયેલ ખાનગી ફાયર ઓફિસરની વિવિધ જવાબદારીઓ રહેશે. જેમાં ફાયરના સાધનો લગાવવાથી લઈને તેમાં ચેકિંગ અને જાળવણી જેવી જવાબદારીઓ રહેશે. સાથે જ સરકારી તંત્રનું ખાનગી ફાયર ઓફિસર અને જે તે એકમો પર પણ નિયંત્રણ રહેશે.