:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ક્ષત્રિયોનો ભારે વિરોધ છતા રૂપાલાએ વૈતરણી પાર કરી: રાજકોટમાં ભાજપના પરષોતમ રૂપાલાની જીત, કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પાઠવ્યા અભિનંદન

top-news
  • 04 Jun, 2024

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના નેતા પરષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિયોનું માન ઘવાય તેવા શબ્દો વાપરવામાં આવ્યા હતા. તેના પગલે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજે ભાજપ વિરોધી મતદાન કરવાનું નિર્ધારિત કર્યું હતું. આ મુદ્દે રૂપાલાએ પણ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. જોકે લોકોસભાની ચૂંટણી માટે રાજ્યમાં મતદાન થાય તે પહેલા જ ક્ષત્રિયોએ પોતાનું ભાજપ વિરોધી આંદોલન સકેલી લઈને વડાપ્રધાન મોદીને ટેકો જાહેર કર્યો હતો અને વિવધ અખબારોમાં ભાજપના કાર્યોની પ્રશંસા કરતી જાહેરાત આપી હતી અને પાર્ટીને મત આપવા હાકલ કરી હતી. જોકે તેમ છતાં રાજકોટમાં રૂપાલ જીતશે કે કેમ તે અવઢવ હતી પરંતુ આજે જાહેર થયેલા લોકસભાની ચૂંટણીના પરિણામોમાં રૂપાલા જીત્યા છે અને તેમની જીત બદલ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનણીએ તેમને અભિનંદન પણ પાઠવ્યા છે. આ જ દર્શાવે છે કે આટલા વિરોધ વચ્ચે હજી પણ ક્ષત્રિય સમાજ ભાજપની પડખે ઉભો છે.

અમેઠી લોકસભા ઉત્તરપ્રદેશની જ નહીં પરંતુ આખા દેશની સૌથી હોટ સીટોમાંથી એક છે. અહીંથી બીજેપીની સ્મૃતિ ઈરાની ફરી એક વખત મેદાનમાં છે. જોકે તે અત્યાર સુધીમાં થયેલી મતગણતરીમાં પાછળ ચાલી રહી છે. કોંગ્રેસના કિશોર લાલ શર્મા 23 હજાર વોટથી આગળ છે. 2019ની ચૂંટણીમાં સ્મૃતિએ રાહુલ ગાંધીને હરાવી દીધા હતા. જોકે આ વખતે રાહુલ અમેઠીની જગ્યાએ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસે અમેઠી જીતવાની જવાબદારી ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્માને આપી છે. 

એનડીએ બહુમતીના આંકડાને પાર કરી ગયુ છે. તેના ખાતામાં 275 સીટો. જ્યારે ઈન્ડિયા એલાયન્સના ખાતામાં 201 સીટો આવી છે. આજે મતગણતરી શરૂ થતાં જ  ખ કલાકમા એ  જેવા મળ્ઉં કે એનડીએ સૌથી આગળ છે અને હવે રૂઝાન કે વલણ દર્શાવે છે કે એનડીએએ બહુમતિ માટે જરૂરી એવી 272નો આંકડો વટાવી લીધો છે. અને ઇન્ડિયા ગઠબંધન 200ની આસપાસ છે.

લોકસભા ચૂંટણી-2024 માટે પડેલા મતોની આજે ગણતરી થઈ રહી છે. આ પ્રક્રિયા 8 વાગ્યે શરૂ થઈ હતી. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે 1 જૂનના રોજ સમાપ્ત થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે ભાજપે આ વખતે 400 થી વધુ સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા માટે 25 થી વધુ વિરોધ પક્ષો એક મંચ પર એકઠા થયા હતા.

દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.