:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ક્રિકેટ પ્રેમિઓ માટે આનંદો.. મેચના દિવસે વધુ 8 મેટ્રો ટ્રેન ફાળવાઈ

top-news
  • 13 Oct, 2023

 14મી ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચનો જબરદસ્ત મુકાબલો થવાનો છે. ત્યારે આ લાઈવ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવી રહ્યા છે. જેને લઈને મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખાસ મેટ્રો ટ્રેનની સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં બંન્ને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી 2 વધારાની મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે.

અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન 12 મિનિટના અંતરે સવારે 7 કલાકથી રાત્રિના 10 કલાક સુધી હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. ના સત્તાધિકારીઓ દ્વારા મેચના દિવસે નિયમિત સમય કરતા વહેલા તથા મોડી રાત સુધી મેટ્રો ટ્રેન ચલાવવામાં આવશે.

મોટેરાથી બે વધારાની ટ્રેન મૂકવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને ઉત્તર-દક્ષિણ કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, એપીએમસી અને મોટેરાથી બે વધારાની ટ્રેન મૂકવામાં આવી છે. એટલે કે કુલ 8 મેટ્રો ટ્રેન સવારે મૂકવામાં આવી છે. જેનાથી દર્શકોને સ્ટેડિયમ પહોંચવામાં સરળતા રહે.

શનિવારે મેચના દિવસે પ્રથમ ટ્રેન 6.20 કલાકે ઉપડશે. તથા બીજી ટ્રેન 6.40 કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના 7 કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ 12 મિનિટના અંતરે કાર્યરત રહેશે. આ સાથે કોઈ પણ સ્ટેશનની મુસાફરીનો દર 50 રૂપિયા રાખવામાં આવ્યો છે.