:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

60 વર્ષ બાદ ભારતીય ટીમ ડેવિસ કપ મેચ માટે પાકિસ્તાનમાં : વર્લ્ડ ગ્રુપ-1 મેચ 3 , 4 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદમાં ...

top-news
  • 31 Jan, 2024

બન્ને દેશો વચ્ચે વધતાં તણાવમાં પણ ભારત સરકારે ડેવિસ કપ માટે ટીમને પાકિસ્તાન જવાની જવાની મંજૂરી આપી દીધી છે. લગભગ 60 વર્ષ બાદ ભારતીય ટીમ ડેવિસ કપ મેચ માટે પાકિસ્તાન જવા જઈ રહી છે. પાકિસ્તાન હાઈ કમિશને ભારતીય ડેવિસ કપ ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે પણ વિઝા જારી કર્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપની વર્લ્ડ ગ્રુપ-1 મેચ 3 અને 4 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદમાં રમાનાર છે.

ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (ITF)એ આ મેચને ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવાની વિનંતીને ફગાવી દીધી હતી. આ પછી, ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) એ તેની ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપવા માટે સરકાર પાસે મંજૂરી માંગી હતી.

ભારતીય ડેવિસ કપ ટીમ છેલ્લે 1964માં પાકિસ્તાન ગઈ હતી. ત્યારે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. વર્ષ 2019માં બંને ટીમોની ડેવિસ કપ મેચ કઝાકિસ્તાનમાં શિફ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ AITAએ ITFને રાજકીય તણાવને ટાંકીને ફેરફારો કરવા વિનંતી કરી હતી. તે સમયે AITAની વિનંતી સ્વીકારવામાં આવી હતી. ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન જવા રવાના થઈ શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎