BCCI એ ટેસ્ટ રમતા ખેલાડીઓની ફીમાં કર્યો વધારો : ક્રિકેટરોને મેચ માટે ₹15 લાખની સાથે બોનસ પણ મળશે...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan28022024_123334_bcci-3.webp)
- 28 Feb, 2024
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના ટેસ્ટ રમતા ખેલાડીઓની ફી વધારવાનો નિર્ણય લીધો છે. હાલમાં દરેક ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે.જ્યારે બીસીસીઆઇએ આઈપીએલ બાદ ખેલાડીઓની ટેસ્ટ મેચ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી . એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને એક ODI માટે 6 લાખ રૂપિયા અને T-20 મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે.
BCCIએ ખેલાડીઓની ફી વધારવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જો આગામી બેઠકમાં આ યોજનાને મંજૂરી મળી જશે તો બીસીસીઆઈના કરારબદ્ધ ખેલાડીઓને નવા માળખા પ્રમાણે પગાર આપવામાં આવશે . આ પગાર વધારો બીસીસીઆઈએ રેડ બોલ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હોવાનું વિગતો પરથી જાણવા મળ્યું છે.
હાલમાં જ બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓને લઈને ચેતવણી આપી હતી. બોર્ડે કહ્યું હતું કે જે ખેલાડીઓ ફિટ છે અને રાષ્ટ્રીય ટીમનો ભાગ નથી તેમણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. આ હોવા છતાં, ઇશાન કિશન, કૃણાલ પંડ્યા અને દીપક ચહર જેવા ખેલાડીઓએ તેમના રાજ્ય માટે રણજી ટ્રોફી મેચ રમી ન હતી.
ઈશાન, કૃણાલ અને ચહરે ફેબ્રુઆરીમાં જ આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી હતી. ઈશાન મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે, પંડ્યા લખનૌ સુપરજાયન્ટ્સ માટે રમે છે અને ચહર ચેન્નાઈ સુપરકિંગ્સ માટે રમે છે.BCCIના અધિકારીએ જણાવ્યું કે, 'નવું પગાર માળખું IPL પછી લાગુ થઈ શકે છે.
આમાં જો ખેલાડી એક વર્ષમાં ટીમ સાથે તમામ ટેસ્ટ સિરીઝ રમે છે તો તેને બોનસ પણ મળશે. વાર્ષિક પગાર અને મેચ ફી ઉપરાંત તેને પૈસા પણ આપવામાં આવશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી ખેલાડીઓ રેડ-બોલ ક્રિકેટ રમવામાં વધુ રસ દાખવે. આ સાથે ખેલાડીઓને ટેસ્ટ રમવામાં વધુ ફાયદો થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ