:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ભારત આજે સતત ચોથી મેચ જીતવા ઉતરશે મેદાનમાં, બાંગ્લાદેશ સામે પુણેમાં થશે ટક્કર

top-news
  • 19 Oct, 2023

 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ODI World Cup 2023ની 17મી મેચ રમાશે. આ બંને ટીમોએ અત્યાર સુધી 3-3 મેચ રમી છે. ભારતે તેની ત્રણેય મેચમાં જીત મેળવી છે જયારે બાંગ્લાદેશે માત્ર એક મેચમાં જીત મેળવી છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વનડે મેચોમાં ભારતનું પલડું ભારે રહ્યું છે.

બાંગ્લાદેશની ટીમે ODI World Cup 2007માં એક ગ્રુપ મેચમાં ભારતેને હરાવી મોટો ઉલટફેર કર્યો હતો જેના કારણે ભારત ODI World Cup 2007માં ગ્રુપ સ્ટેજથી બહાર થઇ ગયું હતું. આ કારણોસર ભારત બાંગ્લાદેશ સામે ગંભીરતાથી રમશે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવવાના ઈરાદા સાથે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. આ સાથે જ જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે જીત મેળવવામાં સફળ રહે છે તો તેની પાસે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચવાની તક રહેશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હેડ ટૂ હેડ વનડે મેચોની વાત કરીએ તો ભારતીય ટીમનું પલડું ભારે છે. ભારતે અત્યાર સુધી 31 મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે જયારે તેને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી વનડે મેચ કોલંબોમાં રમાઈ હતી. સપ્ટેમ્બર 2023માં રમાયેલી મેચમાં ભારતને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 265 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 259 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ODI World Cupમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 4 મેચ રમાઈ છે જેમાંથી ત્રણ મેચમાં ભારતને જીત મળી છે જયારે એક મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હતું.