:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ભારતમાં મોદીને હરાવવુ મુશ્કેલઃ લોકસભા ચૂંટણીને લઇને બ્રિટીશ અખબારે કરી આગાહી

top-news
  • 02 Jan, 2024

ભારતમાં ‘આવશે તો મોદી જ’ તે સૂત્ર 2024ની લોકસભા ચૂંટણી માટે વ્યાપક બન્યું છે. તે સમયે બ્રિટીશ અખબારએ પણ 2024ની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને રોકવાનું લગભગ અસંભવ હોવાનું દર્શાવ્યું છે. ધ ગાર્ડીયનમાં એક લેખમાં જણાવાયું છે કે 2024માં ભાજપની સરકારને ફરી બનતા રોકી શકાશે નહીં.

લેખક હન્નહ એલીસ પીટરસનએ લખ્યું છે કે, ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જે જીત મળી છે તેથી તેનો આત્મવિશ્વાસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી ભાજપ વ્યાપક રીતે લોકપ્રિય બની ગયો છે.

ખુદ વડાપ્રધાને પણ પોતે ફરી જીતી છે તે આગાહી કરી દીધી છે. જે તેનો વિશ્ર્વાસ દર્શાવે છે. પીટરસન જણાવે છે કે મોદીની લોકપ્રિયતા અને મજબૂત નેતાની છબી તથા ભાજપનો હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાથી ભારતના મતદારો પ્રભાવિત છે. 

બીજી તરફ વિપક્ષી ગઠબંધને અનેક મુદાઓ પર એક થાઉ પડશે. 2014માં સત્તા વિરોધી લહેર હતી. 2019માં પાકિસ્તાન ઉપરની સર્જીકલ સ્ટ્રાઇક અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ભાજપે વિજય મેળવ્યો અને હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયની ગેરંટી બન્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎