:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સુપ્રીમ કોર્ટ સજાતીય લગ્નની માગણીના મુદ્દે આજે ચૂકાદો આપે તેવી શક્યતા

top-news
  • 17 Oct, 2023

સજાતીય લગ્નને મંજૂરી આપવાના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમની બંધારણી બેંચે આ વર્ષે ૧૧મી મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. કેન્દ્ર સરકારે સજાતીય લગ્નોને માન્યતા આપવાની માગણીનો વિરોધ કર્યો હતો અને તેનાથી લગ્નસંસ્થાનું માળખું નબળું પડશે એવું કહ્યું હતું.

સજાતીય કપલ્સને લગ્નની મંજૂરી આપવાની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. એ મુદ્દે મુખ્ય ન્યાયધીશ ડી. વાઈ. ચંદ્રચૂડની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચાલુ વર્ષે મે માસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. ૧૦ દિવસ સુધી આ મામલે સુનાવણી ચાલી હતી. તે પહેલાં કેન્દ્ર સરકારે તેમનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે સજાતીય લગ્નોને માન્યતા આપવાથી લગ્ન સંસ્થા પર અસર થશે. બંધારણીય બેંચમાં સીજેઆઈ ઉપરાંત ન્યાયધીશો - કિશન કૌલ, એસ. રવિન્દ્ર ભટ્ટ, હેમા કોહલી, પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.

સજાતીય લગ્નની માગણીમાં અરજદારોનું કહેવું હતું કે ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે બંધારણમાંથી સજાતીયતાને ગુનો માનવાની કલમ રદ્ કરી હતી. તેના કારણે બે વયસ્કો વચ્ચે સહમતીથી સજાતીય સંબંધ બંધાય તો એ ગુનો નથી. એવી સ્થિતિમાં હવે સજાતીય લગ્નને મંજૂરી આપવી યોગ્ય રહેશે. એ માગણીના સંદર્ભમાં હવે ચુકાદો આવવાનો છે.