:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સોનિયા ગાંધી જયપુર જવા રવાના: રાજ્યસભા માટે નોંધાવશે આજે ઉમેદવારી ...

top-news
  • 14 Feb, 2024

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી બુધવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાને રાજસ્થાન જવા રવાના થયા હતા જ્યાંથી તેઓ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના હતા. કોંગ્રેસની ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી પહેલી વખત રાજ્યસભામાં જશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સંસદના ઉપલા ગૃહમાં રાજસ્થાનથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરશે.

રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાવાની છે. 1998 થી 2022 વચ્ચે લગભગ 22 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધી પાંચ વખત લોકસભાના સાંસદ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, જયપુરમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે તેમના પુત્ર રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમની સાથે હશે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વખતે તેમણે સભ્ય બનવાનો ઇન્કાર કરી દીધો છે. આમ મનમોહન સિંઘને કાર્યકાળ પૂરો થતાં આ બેઠક ખાલી થઈ રહી છે. કોંગ્રેસે આ સલામત બેઠક પર નવા ઉમેદવારની જાહેરાત કરવાની હતી. તેના માટે સોનિયાગાંધીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.

રાજ્યસભાની જે ૫૬ બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે તેમાથી દસ બેઠક કોંગ્રેસ માટે સલામત છે.રાજસ્થાનમાં મનમોહન સિંઘ ઉપરાંત ભાજપના ભૂપેન્દ્રસિંહનો કાર્યકાળ પણ ત્રીજી એપ્રિલે પૂરો થવા જઈ રહ્યો છે. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં કિરોડીમલ મીણાએ જીત્યા પછી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ હતુ. આ બંને બેઠક પર ભાજપના બે સભ્ય આવશે તે સુનિશ્ચિત મનાય છે.

રાજ્યસભા માટે નોમિનેશન ફાઈલ કરવાની હિલચાલ આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આવી છે. કોંગ્રેસે હજુ 15 રાજ્યોની 56 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. તેમા રાજસ્થાનની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવવાની છે. રાજ્યસભા ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.ચૂંટણી પંચે ગયા મહિને રાજ્યસભાની 56 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું અને 27 ફેબ્રુઆરીએ મતદાન થશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎