:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ડોલરીયા દેશ જવાનો મોહ ભારે પડ્યો: કેરેબિયન ટાપુ પર ફસાયા 9 ગુજરાતીઓ...

top-news
  • 20 Feb, 2024

ડોલરીયા દેશમાં જવાનો મોહ ખાસ કરીને ગુજરાતીઓને કેટલીક વખત મુશ્કેલીમાં મૂકી દે છે, તેના કેટલાય બનાવો હાલમાં પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં અત્યારે કેરેબિયન ટાપુમાં 2023માં ફસાયેલા 9 ગુજરાતીઓ મામલે મોટી અપડેટ સામે આવી છે.  આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં અરજદારોએ હાઈકોર્ટ સમક્ષ મહત્વના ખુલાસા કર્યા હતા.

અરજદારોએ જણાવ્યુ હતુ કે, ફસાયેલા 9 લોકો ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા. તેઓ US જવા કેરેબિયન સીમામાં આવેલા ફ્રાન્સના ગુવાદુલૂપ ટાપુ પર ફરવા ગયા હતા. ટાપુ પરથી તે તમામ 3 ફેબ્રુઆરી 2023ના રોજ ગુમ થયા હતા. જેની છેલ્લી માહિતી અનુસાર તેઓ ગુવાદુલૂપ ટાપુ પર હોવાની શક્યતા છે. 

ફ્રાંસના કેરેબિયન ટાપુમાં 2023માં ફસાયેલા 9 ગુજરાતીઓ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજદારના વકીલને સવાલ કર્યો હતો કે, તેઓ જે ટાપુ પર હોય ત્યા પણ તેમને પરત કઈ રીતે લાવી શકાય. તેમને હાલ ક્યા રખાયા હશે ? આ ઘટનાને લઈ ઈન્ડિયન એમ્બેસેડર ગુવાદુલૂપ ટાપુ પર ગયા હતા. આ મામલે વકીલના જણાવ્યાનુસાર આવા આરોપીઓ માટે ફ્રાન્સના નિયમો પ્રમાણે 1 વર્ષની સજાની જોગવાઈ છે. પરંતુ તેમને દંડની ભરપાઈ કરી પરત લાવી શકાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ  9 ગુજરાતીઑ કે જે છેલ્લા 1 વર્ષથી ગુમ છે. જેને લઈ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ તરફ કેન્દ્ર સરકાર તરફથી પણ આ ગુમ થયેલ લોકોની ભાળ મળી શકે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે કેરેબિયન ટાપુમાં ફસાયેલા 9 ગુજરાતીઓ મામલે હાઈકોર્ટમાં અરજી થઈ છે. આ તરફ હવે અરજી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારોનો મોટો ખુલાસો સામે આવ્યો છે.

વિગતો મુજબ તેઓ ગેરકાયદે US જવાના ઈરાદે 9 લોકો કેરેબિયન સીમાં આવેલા ફ્રાન્સના ગુવાદુલૂપ ટાપુ ઉપર ફરવા ગયા હતા. જ્યાં ટાપુ ઉપરથી 3 ફેબ્રુઆરી 2023ના રોજ ગુમ થયા હતા. અરજદારોના વકીલે કહ્યું કે, હોડીમાં કોમનવેલ્થ ડોમિનિકાથી સેન્ટ માર્ટીન ટાપુ ઉપર જતા રહ્યાં હોવાની વાત મળી હતી. જે આધારે હવે છેલ્લી માહિતી મુજબ તેઓ ગુવાદુલૂપ ટાપુ ઉપર હોવાની શક્યતા છે.

 જેને લઈ કોર્ટે પૂછ્યું કે, તેઓ જે ટાપુ ઉપર હોય ત્યા પણ તેમને પાછા કેવી રીતે લવાય?અને તેને લઈ અરજદારના વકીલનાં કહેવા મુજબ ફ્રાન્સના નિયમો મુજબ વધુમાં વધુ એક વર્ષની સજાની જોગવાઈ છે, જોકે તમામને પેન્લટી ભરીને પાછા લાવી શકાય છે. આ તરફ હવે આ જાહેરહિતની અરજીની વધુ સુનાવણી 15 માર્ચના રોજ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎