:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

નમો નમ: પરિવારના 2 કાર્યકર મિત્રો ઘાયલ: ખિસકોલીને બચાવવા જતાં નશાબાજો એ કર્યો હુમલો, પોલીસમાં ફરિયાદ

top-news
  • 21 Feb, 2024

નમો નમઃ પરિવારના 2 કાર્યકર મિત્રો ઘાયલ ખિસકોલીનો જીવ બચાવવા માટે 19/02ના રોજ રાત્રે અસારવા , પાંસી દાસનો મહોલ્લા થી કોઈક જીવદયા પ્રેમી બહેન નો ફોન આવેલ હોવાથી ગયા હતાં, ત્યારે ત્યાં હાજર રહેલ અસામાજીક તત્વો જેઓ નશા માં ચકચૂર હતા તેઓ એ તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, અને ખૂબ જ માર મારેલ હતો.તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવા પડ્યા હતા. 

આ બાબતને લઈને અમદાવાદ જિલ્લા માં કાર્યરત  સ્ટેટ એનિમલ વેલફેર એસોસિયેશન વતી નમો નમઃ પરીવાર, મિશન સેફ ઉતરાણ, એન.પી.જી.એ, સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ, ઈ.સી.ટી ઓફ ઈન્ડિયા, સંવેદના ફાઉન્ડેશન, ગ્રીન હેન્ડ ફાઉન્ડેશન, શ્રી ગીતાબેન રાભીયા ચેરીટેબલ ટ્રસ્ટ, એનિમલ કેર ફાઉન્ડેશન, રેસ્ક્યુ ફાઉન્ડેશન, શ્રી ગણેશ ફાઉન્ડેશન, શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અન્ય સંસ્થાઓ  સ્વંયભૂ રીતે ભેગા થઈને શાહીબાગ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ ડી ચંપાવત સાહેબને રૂબરૂ મળીને દોષિત આરોપીઓને શોધીને યોગ્ય કરવા વિનંતી કરેલ હતી.

આ વિનંતી  પોલીસ ઇન્સ્પેકટર શ્રી ચંપાવત સાહેબે ખૂબ જ સારી રીતે સાંભળીને તાત્કાલિક અસરથી યોગ્ય કરવા ખાતરી આપી છે, ખૂબ જ સરસ પ્રતિસાદ આપી ને જીવદયા પ્રેમીઓ ને આશ્વાસન આપેલ છે,સ્ટેટ એનિમલ વેલ્ફેર એસોસિયેશન પી.આઈ.સાહેબ શ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરે છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎