:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટતા 20 ના મોત ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાની મોટી દુર્ઘટના

top-news
  • 24 Feb, 2024

ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં દુર્ઘટનામાં 20 લોકો મૃત્યુ પામી ચૂક્યાના અહેવાલ મળ્યાં છે. દુઃખની વાત એ છે કે મૃતકોમાં 7 તો બાળકો હતા. ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો. ગામના લોકો અને પોલીસકર્મીઓને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માહિતી અનુસાર કાસગંજના પટિયાલી દરિયાવગંજ માર્ગ નજીક આજે સવારે આશરે 10 વાગ્યે ટ્રેક્ટર બેકાબૂ થઇ ગયું હતું અને તે તળાવમાં ગરકાવ થયું હતું. ટ્રોલીમાં સવાર સાત બાળકો અને આઠ મહિલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામી ચૂકી છે. સમગ્ર ક્ષેત્રમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ઘાયલોને કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. શ્રદ્ધાળુઓ એટા જિલ્લાના વતની જણાવાઈ રહ્યા છે. સીએમઓ રાજીવ અગ્રવાલે કહ્યું કે 20 મૃતકોમાં સાત બાળકો અને અન્ય 8 મહિલાઓ સામેલ છે.

માહિતી અનુસાર દુર્ઘટનાને કારણે ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી ખાઈ ગઈ હતી. જેના લીધે મોટી સંખ્યામાં લોકો એકબીજા પર દબાઈ ગયા હતા અને ટ્રેક્ટર ટ્રોલી ઉપર આવી જતાં તેઓનો જીવ બચાવવાનો મોકો મળ્યો નહોતો. મૃતકોની સંખ્યા વધી શકે છે. સ્થિતિ અતિ ગંભીર જણાઈ રહી છે. ચારેકોર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎