:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દ્રૌપદી મુર્મુ: જસ્ટિસ ખાનવિલકરને લોકપાલના અધ્યક્ષ નિયુક્ત કર્યા એક અધ્યક્ષ સિવાય લોકપાલમાં 4 ન્યાયિક-બિન ન્યાયિક સભ્યો

top-news
  • 28 Feb, 2024

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ એ. એમ ખાનવિલકરને લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લોકપાલના નિયમિત અધ્યક્ષનું પદ 27 મે, 2022 ના રોજ ન્યાયમૂર્તિ પિનાકીન ચંદ્ર ઘોષની નિવૃત્તિ પછી ખાલી હતું. લોકપાલના ન્યાયિક સભ્ય જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા ભજવી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકરને લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જસ્ટિસ ખાનવિલકર જુલાઈ 2022માં સર્વોચ્ચ અદાલતમાંથી નિવૃત્ત થવાના હતા.

લોકપાલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક વડા પ્રધાનની આગેવાની હેઠળની પસંદગી સમિતિની ભલામણોના આધારે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એક અધ્યક્ષ સિવાય લોકપાલમાં 4 ન્યાયિક અને બિન ન્યાયિક સભ્યો હોઈ શકે છે. નિવૃત્ત ન્યાયાધીશો લિંગપ્પા નારાયણ સ્વામી, સંજય યાદવ અને ઋતુરાજ અવસ્થીને પણ લોકપાલના ન્યાયિક સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુશીલ ચંદ્રા, ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને અજય તિર્કીને લોકપાલના બિન-ન્યાયિક સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂંકો ચાર્જ સંભાળ્યાના દિવસથી જ અસરકારક રહેશે તેમ જણાવાયું હતું.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા વચગાળાનાબજેટ2024-25માં લોકપાલને રૂ. 33.32 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેથી તે તેની સ્થાપના અને બાંધકામ સંબંધિત ખર્ચાઓને પહોંચી વળે. 2023-24ના બજેટમાં લોકપાલને શરૂઆતમાં 92 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં આ અંગેની અંદાજપત્રીય જોગવાઈ વધારીને રૂ. 110.89 કરોડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ને વચગાળાના બજેટમાં 2024-25 માટે 51.31 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ જોગવાઈ પંચના સચિવાલયના ખર્ચ માટે કરવામાં આવી છે. CVCને નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 44.46 કરોડ ફાળવવામાં આવ્યા હતા જે બાદમાં વધારીને રૂ. 47.73 કરોડ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ કુમારની લોકપાલમાં નિયુક્તિ કરવામાં આવી છે.  પંકજ કુમારને રાષ્ટ્રપતિએ લોકપાલમાં નિયુક્ત કર્યા છે.  પંકાજકુમાર 1986થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. પંકજ કુમાર બિહારના પટનાના વતની છે. તેણે  આઈ.આઈ.ટી કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎