:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બસપાના સિનિયર નેતાને બદમાશોએ 3 ગોળી મારી : MPના બિજાવર બેઠક પરથી લોકસભાની ટિકિટ મળેલી ...

top-news
  • 05 Mar, 2024

દેશમાં લોકસભાની ચુંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. તેમાં કેટલાક નેતાઓ પક્ષ બદલી કરે છે,તો કેટલાક પર તપાસ એજન્સીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, આ બધાની વચ્ચે મધ્યપ્રદેશ માંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા હતા,જેમાં માયાવતીની પાર્ટી બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા થઈ છે. બદમાશોએ માથામાં 3 ગોળીઓ મારીને તેમનો જીવ લઈ લીધો હતો.

ફાયરિંગ કર્યાં બાદ બદમાશોએ ભાગી નીકળ્યાં હતા. મહેન્દ્ર ગુપ્તા સાગર સિટીમાં લગ્નમાં આવ્યાં હતા ત્યારે બદમાશોએ ગજરાજ મેરિજ ગાર્ડનની સામે તેમની પર ફાયરિંગ કર્યું હતું. બસપાએ મહેન્દ્ર ગુપ્તા બિજાવર બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી છે. તેઓ બિજાવર બેઠક પરથી બે વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં 25 ફેબ્રુઆરીએ ઈન્ડીયન નેશનલ લોક દળના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહ રાઠીની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. 

નફે સિંહ રાઠીની હત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમના નામ સૌરવ અને આશિષ છે. પકડાયેલા બંને આરોપીઓ શૂટર હોવાનું કહેવાય છે. આ બંને આરોપીઓ દિલ્હીના નાંગલોઈ વિસ્તારના રહેવાસી છે. આ સાથે બંને આરોપીઓ કપિલ સાંગવાન ઉર્ફે નંદુ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎