અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત : સીટ ફાળવણીની ચર્ચા શાહે મુશ્કેલ ડીલ સાથે એક વચન આપ્યુ,
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan06032024_092452_WhatsApp Image 2024-03-06 at 2.54.23 PM.jpeg)
- 06 Mar, 2024
ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રની સીટોની ફાળવણી માટે મુલાકાત લીધી હતી, આ મુલાકાતમાં તેમણે એકનાથશિંદે અને અજીત પવાર સાથે NDAગઠબંધનની બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી. અમિત શાહ, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવારની સાથે-સાથે દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોની વહેંચણીના મુદ્દે એકનાથ શિંદે અમિત શાહ સમક્ષ થોડા નરમ દેખાયા અને તમણે જે શરૂઆતમાં 22 બેઠકોની માંગ કરી રહી હતી, તે ઘટાડીને 13 લોકસભા બેઠકો આપવાની વાત કરી હતી
અજિત પવારે પણ બારામતી સહિત 8 બેઠકો આપવામાં આવે તેવી માંગણી શાહ સમક્ષ કરી, જે મુદ્દે અમિત શાહે એક મુશ્કેલ ડીલ રાખી અને એકનાથ શિંદેની શિવસેનાને 10 બેઠકો ઓફર કરી અને અજિત પવારની પાર્ટીને માત્ર 4 સીટો આપવાનું કહ્યું હતું. આમ અમિત શાહ સીટોની વહેચણી મામલે વધુ સ્પષ્ટ જૉવા મળ્યા હતા. અજીત પવારને જે ચાર બેઠકો આપવાની વાત કરી હતી તેમાં એક બેઠક બારામતી અને બીજી બેઠક ગઢ ચિરૌલીની છે. બારામતી બેઠક પરથી અજિત પવાર તેમની પત્ની સુનેત્રાને મેદાનમાં ઉતારવા માંગે છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે બારામતી બેઠક પરથી સાંસદ રહી ચૂકી છે અને તે આ જ બેઠક પરથી 2024ની પણ ચૂંટણી લડશે તેમ મનાય છે.
અજિત પવાર રાજ્ય સરકારના મંત્રી ધરમરાવ બાબા આત્રામને ગઢચિરોલીથી લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવા માંગે છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48માંથી 32 બેઠકો પર ભાજપ ચૂંટણી લડવા માંગે છે અને બાકીની બેઠકો ગઠબંધન ભાગીદારો એકનાથ શિંદે ની શિવસેના અને અજીત પવારની એનસીપીને ઓફર કરી છે.અમિત શાહે આ બન્નેને 14 બેઠકોની ઓફર કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીતની શક્યતાઓ વધારે છે. તેથી ભાજપને વધુ બેઠકો આપો. તેની સામે ભાજપ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન ભાગીદારો માટે વધુ બેઠકો ફાળવશે. આ રીતે અમિત શાહે મુશ્કેલ ડીલ કરવાની સાથે એક મોટું વચન પણ આપી દીધુ છે.
ભાજપ મહારાષ્ટ્રની પરભણી, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ અને રત્નાગીરી સિંધુદુર્ગની બેઠકોમાં પણ ફેરબદલ ઈચ્છે છે. હવે મુંબઈની વાત કરીએ તો એકનાથ શિંદેની પાર્ટીએ અહીં 2 સીટોની માંગણી કરી છે. પરંતુ ભાજપ માત્ર થાણે સીટ આપવા માંગે છે.આ બેઠક એકનાથ શિંદેની શિવસેનાનો ગઢ રહી છે અને ખાસ કરીને એકનાથ શિંદેનો સારો પ્રભાવ રહ્યો છે. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં અમિત શાહે સ્પષ્ટ ઓફર કરી હતી કે તમે લોકો હવે ઓછી બેઠકો લો. પછી બદલામાં તમને વિધાનસભામાં વધુ સીટો ઓફર કરવામાં આવી શકે છે.
દરમિયાન બીજેપીના એક નેતાએ કહ્યું કે હવે મહારાષ્ટ્રની સીટો પર પણ વિચાર કરવામાં આવશે. હાલમાં જે બેઠકો માટે મતભેદ છે તે સિવાયના કેટલાક ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. તેઓ આગામી થોડા દિવસોમાં ત્રણેય સહયોગી બેઠકોનો મુદ્દો ઉકેલશે.અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત સીટ વહેંચણીના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ હતી. દરમિયાન તેમણે સંભાજીનગરમાં એક રેલીને પણ સંબોધી હતી. અહીં તેમણે વર્તમાન સાંસદ ઈમ્તિયાઝ જલીલનો ઉલ્લેખ કરતા કહ્યું કે અહીંથી નિઝામના શાસનને ખતમ કરવાની જરૂર છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ