:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દાણીલીમડામાં ભીષણ આગ, એક બાળકનું મોત: વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં લાગેલી આગમાં 3 ગંભીર રીતે દાઝ્યા

top-news
  • 07 Mar, 2024

અમદાવાદના દાણીલીમડામાં વહેલી સવારે ખ્વાઝા ફલેટમાં અચાનક લાગી આગ હતી. પાર્કિંગમાં લાગેલી આગ છેક ઉપરના માળ સુધી પ્રસરી ગઇ હતી. આગ લાગતા જ બિલ્ડિંગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, લોકો જીવ બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા.

અમદાવાદના દાણીલીમડામાં વિસ્તારમાં વહેલી સવારે રહેણાક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેમાં એક બાળકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.  ઇજાગ્રસ્તોને મણિનગરની LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.ધુમાડો ઘરોમાં પહોંચી જતા ખાસ કરીને બાળકોને ગુંગળામણનો અનુભવ થયો હતો.  ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડે 27 લોકોને સહી સલામત બચાવી લીધા હોવાની માહિતી સામે આવી છે.ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. 

ખૂબ જ સાંકડી જગ્યામાં ફ્લેટ હોવાના કારણે ફાયર બ્રિગેડનું વાહન અંદર સુધી પહોંચી શક્યું નહોતું. ફ્લેટ પણ ખૂબ જ નાની જગ્યામાં પાંચ માળ સુધી ઉભો કરી દેવામાં આવેલો છે. ખૂબ જ નાનો સાંકડો રસ્તો હોવાના કારણે વાહન છેક સુધી પહોંચી શક્યું નહોતું. બીજી તરફ ફ્લેટમાં સીડીઓમાં પણ સામાન પડ્યો હતો. જેના કારણે લોકો પણ ઝડપથી નીચે ઉતરી શક્યા નહોતા. વાહન પાર્કિંગની કોઈ જ સુવિધા નહોતી, મીટરની નજીક વાહન મૂક્યા હતા. જેના કારણે આગ વધારે પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎