:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મોદી -અમિત શાહને પણ નોટિસ આપો : જયરામ રમેશ ચૂંટણી પંચે રાહુલને સલાહ આપતા કોંગ્રસ ભડકી ...

top-news
  • 07 Mar, 2024

ચૂંટણી કમિશન દ્વારા ચુંટણીની તારીખો હજી ઘોષિણા થઈ નથી, ત્યારે રાજકીય પક્ષો તેમના જાહેર કાયૅક્રમોમાં એક -બીજા પર ચીખલ ફેક કરતા દેખાઈ રહ્યા છે, એવામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે ચુંટણી પંચ દ્વારા એડવાઈઝરી જારી કરી હતી. જેમાં રાહુલ ગાંધીને નિવેદન આપતી વખતે વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણીપંચે વડાપ્રધાન અંગે કરેલી નિવેદનબાજી પર દિલ્હી હાઈકોર્ટના આદેશ અને રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યો પર વિચારણાં કર્યા બાદ કોંગ્રેસ નેતાને ભવિષ્યમાં વધુ સાવચેત રહેવાની સલાહ આપી હતી

ચૂંટણી પંચની આ એડવાઈઝરી બાદ કોંગ્રેસે ચૂંટણી પંચને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે ચૂંટણી પંચ પર નિશાન સાધતા કહ્યું કે, તમે પીએમ વિરુદ્ધ કેમ કંઈ બોલતા નથી, ગૃહમંત્રી વિરુદ્ધ કેમ કંઈ બોલતા નથી. આ નિષ્પક્ષ સંસ્થા કોની સૂચના પર કામ કરી રહી છે? હિંમત બતાવવી જોઈએ અને મોદી અને અમિત શાહને પણ નોટિસ આપવી જોઈએ. તેમને પણ બોલવું જોઈએ. ફક્ત રાહુલ ગાંધીને જ કેમ નોટિસ આપી?

બીજી બાજુ કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહે પણ ચૂંટણી પંચ પર પ્રહારો કરતાં કહ્યું કે આ તદ્દત ખોટું છે. ચૂંટણી પંચ પક્ષપાત કરે છે. જ્યારે મોદી કર્ણાટક ચૂંટણીમાં બજરંગ બલીના નામે ખુલ્લેઆમ વોટ માંગી રહ્યા હતા, પુલવામાના શહીદોના નામ પર વોટ માંગી રહ્યા હતા, ત્યારે ચૂંટણી પંચ શું કરી રહ્યું હતું? ભાજપના નિવેદનો પર ચૂંટણી પંચ મૌન ધારણ કરી લે છે.

જયરામ રમેશ અને દિગ્વિજય સિંહ બંને નેતાઓએ પીએમ મોદીની કાશ્મીર મુલાકાત પર નિશાન સાધ્યું. દિગ્વિજય સિંહે કહ્યું, શું મનમોહન સિંહ ક્યારેય ખીણમાં નહોતા જતા?   પીએમ મોદી ઈવેન્ટ મેનેજર છે.. તે દરેક વસ્તુને ઈવેન્ટ બનાવે છે. જ્યારે જયરામ રમેશે કહ્યું કે, લોકોને ત્યાં ધમકાવીને બોલાવાઈ રહ્યા છે. લોકોને બળજબરીથી શ્રીનગર લાવવામાં આવી રહ્યા છે.. અમારો સવાલ એ છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે મળશે? ત્યાં ચૂંટણી ક્યારે યોજાશે?

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎