:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેનેડામાં એક પરિવારના છ જણાંની હત્યા : પરિવારની સાથે રહેતા એક વિદ્યાર્થીએ ચપ્પાં વડે કરી હત્યા...

top-news
  • 08 Mar, 2024

કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં ચાકૂબાજીની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. અહીં એક વિદ્યાર્થીએ ચાકુ વડે હુમલો કરીને 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. ઓટ્ટાવા પોલીસે જણાવ્યું હતું કે, 19 વર્ષીય શ્રીલંકન વિદ્યાર્થી પર તેની સાથે રહેતા છ લોકોની ચાકૂ મારી હત્યા કરવાનો આરોપ છે જેમાં શ્રીલંકાના એક પરિવારના ચાર બાળકો પણ સામેલ છે. 

ઓટ્ટાવા પોલીસ ચીફ એરિક સ્ટબ્સે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ દ્વારા "ધારદાર હથિયાર"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલાખોરની ઓળખ ફેબ્રિસીયો ડી-ઝોયસા તરીકે થઇ હતી.  તેના પર હત્યાનો આરોપ છે. સ્ટબ્સે જણાવ્યું હતું કે મૃતકો શ્રીલંકાના નાગરિક હતા જેઓ તાજેતરમાં કેનેડા આવ્યા હતા. તેમાં 35 વર્ષની માતા, 7 વર્ષનો પુત્ર, 4 વર્ષની પુત્રી, 2 વર્ષની પુત્રી અને અઢી મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.

પોલીસ પ્રમુખે કહ્યું કે જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો પરિવારનો એક વ્યક્તિ બહાર ઊભો હતો અને કોઈને 911 પર કૉલ કરવા માટે બૂમ પાડી રહ્યો હતો. પોલીસને રાત્રે 10:52 વાગ્યે બે ઈમરજન્સી કોલ આવ્યા હતા. ઓટ્ટાવામાં શ્રીલંકાના હાઈ કમિશને પુષ્ટિ કરી કે પીડિત લોકો શ્રીલંકાના નાગરિકોના પરિવારો હતા. હાઈ કમિશને જણાવ્યું હતું કે, અમે કોલંબોમાં પીડિતોના પરિજનોના સંપર્કમાં છીએ. આ ઘટના પર વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે "આ ભયાનક હિંસા પર અમારી પ્રથમ પ્રતિક્રિયા આઘાતજનક છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎