હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું રાજીનામું : BJP-JJPનું ગઠબંધન તૂટ્યું, નવા સીએમના શપથ ગ્રહણ આજે જ ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan12032024_064713_images (17).jpg)
- 12 Mar, 2024
લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા હરિયાણામાં ભાજપના એક સાંસદના રાજીનામાને કારણે રાજ્ય સરકાર જ સંકટમાં આવી ગઈ . હરિયાણાના સીએમ મનોહર લાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હરિયાણામાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. મનોહર લાલની સાથે સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે.
સીએમ મનોહર લાલ ખટ્ટરે મંગળવારે, 11 વાગે બીજેપી વિધાયક દળ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ હરિયાણાના રાજ્યપાલને મળવા માટે રવાના થયા હતા. સીએમની કારમાં ગૃહમંત્રી પણ હાજર હતા. આ ઉપરાંત મંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.મનોહર લાલ હરિયાણાના સીએમ આવાસ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાક અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી અને પછી મનોહર લાલ રાજભવન જવા રવાના થયા.
હવે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાવાની છે, જેમાં ધારાસભ્ય પક્ષના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. સીએમની રેસમાં નયાબ સિંહ સૈની અને અનિલ વિજ ટોપ પર છે.અહીં મહત્વની વાત એ છે કે, મુખ્યમંત્રીની કારમાં અનિલ વિજ પણ હાજર હતા. વિજના ચહેરા પર સ્મિત હતું. આવી સ્થિતિમાં વિજ હરિયાણાના નવા સીએમ પણ બની શકે છે. સીએમ સિવાય અન્ય તમામ મંત્રીઓ પણ પોતપોતાના વાહનોમાં રાજભવન પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ , હરિયાણાના નવા સીએમના શપથ ગ્રહણ મંગળવારે બપોરે જ થઇ જશે. રાજભવનમાં શપથ ગ્રહણની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. જોકે, નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજી સસ્પેન્શ યથાવત છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ