:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

જેસલમેરમાં ફાઇટર પ્લેન ક્રેશ: પોખરણમાં 'ભારત શક્તિ' યુદ્ધાભ્યાસમાં સામેલ

top-news
  • 13 Mar, 2024

પ્રધાનમંત્રી મોદીની  રાજસ્થાન મુલાકાત દરમ્યાન એક ફાઇટર પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના ઘટી હતી,સદનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી. બનાવની વિયાગત મુજબ રાજસ્થાનના પોખરણમાં ચાલી રહેલી 'ભારત શક્તિ યુદ્ધાભ્યાસ'માં સામેલ તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હતું. તેજસ ફાઇટર પ્લેન ક્રેશની આ પ્રથમ ઘટના છે. જેસલમેર શહેરથી 2 કિમી દૂર જવાહરનગર સ્થિત ભીલ સમુદાયની હોસ્ટેલ પર મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યે ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું.

આ દુર્ઘટના ઘટી એ સમયે હોસ્ટેલના રૂમમાં કોઈ નહોતું. જેથી મોટું નુકસાન ન થયું .આ દુર્ઘટના પોખરણમાં ચાલી રહેલી એક્સર્સાઇઝ સાઇટથી લગભગ 100 કિમી દૂર જેસલમેરમાં થઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અન્ય ઘણા નેતાઓ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

ક્રેશ થનાર ભારતીય સેનાનું વિમાન LCA એટલે કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. એરક્રાફ્ટ અકસ્માત સમયે ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાઈટર પ્લેનનો એક પાઇલટ ક્રેશ પહેલાં  બહાર નીકળવા માં સફળ થયો હતોજોકે, પેરાશૂટ સમયસર ન ખુલવાને કારણે એક પાયલોટ ઘાયલ પણ થયો હતો. જેને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો . 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎