:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચૂંટણી પંચમાં કમિશનરની બે ખાલી પદ ભરવા આજે બેઠક : રાષ્ટ્રપતિ મુર્મુ ચૂંટણી પંચના બે સભ્યોની નિમણૂક કરશે

top-news
  • 14 Mar, 2024

લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રોજ અલગ - અલગ ઘટનાઓ બનતી રહે છે. જેમાં  વિવિધ રાજકીય પક્ષોમાં નવા જૂની ના સમાચરો આવતા હોય છે, એવામાં દેશના ચુંટણી કમિશનરની નિમણૂક થવા જઈ રહી છે. સૂત્રો મુજબ કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની આગેવાની હેઠળની સર્ચ કમિટીએ બુધવારે સાંજે ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની બે ખાલી જગ્યાઓ ભરવા માટે પાંચ ઉમેદવારોની યાદી તૈયાર કરવા બેઠક યોજી હતી.

આ સંદર્ભમાં બંને નામોને અંતિમ રૂપ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પસંદગી સમિતિ દ્વારા ગુરુવારે બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં બે ચૂંટણી કમિશનરના નામ પર નિર્ણય લેવાય તેવી શક્યતા છે. પસંદગી સમિતિની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચૂંટણી પંચના બે સભ્યોની નિમણૂક કરશે. એકવાર નિમણૂકોની સૂચના મળ્યા પછી નવા કાયદા હેઠળ આ પહેલી નિમણૂકો હશે. જોકે યાદીમાં કયા 5 ઉમેદવારોના નામ છે તે અંગેની માહિતી હજુ બહાર આવી નથી.

કાયદો ત્રણ સભ્યોની પસંદગી સમિતિને એવી વ્યક્તિની નિમણૂક કરવાની સત્તા પણ આપે છે જેને સર્ચ કમિટી દ્વારા 'શોર્ટલિસ્ટ' કરવામાં આવી ન હોય. 14 ફેબ્રુઆરીના રોજ અનૂપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને 8 માર્ચે અરુણ ગોયલના અચાનક રાજીનામાને કારણે આ ખાલી જગ્યાઓ સર્જાઈ હતી. ગોયલના રાજીનામાની સૂચના 9 માર્ચે આપવામાં આવી હતી. ખાલી જગ્યાઓના કારણે ચૂંટણી પંચમાં હાલમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેનો નવો કાયદો તાજેતરના અમલમાં આવ્યો તે પહેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હતી અને પરંપરા મુજબ સૌથી વરિષ્ઠની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવતી હતી.

 અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની રેસમાં હતા. કારણ કે વર્તમાન CEC રાજીવ કુમાર ફેબ્રુઆરી 2025માં નિવૃત્ત થવા જઈ રહ્યા હતા. ગોયલે 21 નવેમ્બર 2022ના રોજ ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ 5 ડિસેમ્બર 2027 સુધીનો હતો. ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો ગોયલ અને રાજીવ કુમાર વચ્ચે ફાઈલને લઈને મતભેદો છે. રાજીનામું આપ્યા બાદ ગોયલે અંગત કારણો દર્શાવ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્રએ તેમને પદ છોડતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎