:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભારતને ક્વોન્ટમ C-DOT પેટન્ટ મળી : મંત્રી અશ્વિની વૈષ્ણવ સરકારને આ પેટન્ટ આગામી 20 વર્ષ સુધી મળી

top-news
  • 14 Mar, 2024

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના નિર્ણયના સારા પરિણામ જોવા મળવા લાગ્યા છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેયર કરી અને લખ્યું કે આત્મનિર્ભર ભારતના અભિયાન તરીકે કેન્દ્રએ ક્વાન્ટમ કી વિતરણ પ્રણાલીને અપગ્રેડ કરી છે. ટેલેમેટિક્સ ડેવલેપમેન્ટ સેન્ટર પેટન્ટ સુનિશ્ચિત કરવામાં આવી છે.

ભારત સરકારને આ પેટન્ટ આગામી 20 વર્ષ સુધી મળી છે. આ પેટન્ટ ઓક્ટોબર 2019થી લાગુ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર તેના સંબંધિત પ્રમાણપત્ર પણ સંલગ્ન કર્યા છે. તેમને કહ્યું કે ક્વાન્ટમ કીના વિતરણમાં વડાપ્રધાન મોદીએ લીધેલા નિર્ણયોના સારા પરિણામ મળી રહ્યા છે. તેમાં પેટન્ટ કાયદા વિશેની વિગતો છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે ટ્રેડ માર્કના ધોરણો મુજબ 190 મોટા કેસની ચકાસણી કરવામાં આવી છે.વડાપ્રધાન મોદીના આ નિર્ણયથી ઔદ્યોગિક ક્ષેત્રને વધુ વિકાસ મળવાની સંભાવના છે. આ મિશન ક્વાન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધન અને વિકાસ માટે શરૂ કરવામાં આવ્યુ હતુ. ક્વાન્ટમ સિક્યોર કોમ્યુનિકેશન્સનો ઉપયોગ જાણકારીની સુરક્ષા અને ગ્રાહકોની ખાનગી જાણકારીની ગોપનીયતા જાળવી રાખવા માટે કરવામાં આવે છે.

ઓક્ટોબર 2019થી 20 વર્ષ સુધી પરમિટ ઈશ્યુ કરવા માટે ઘણા મોટા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 1970ના પેટન્ટ અધિકાર અધિનિયમ મુજબ પરિયોજનાઓને પેટન્ટ આપવામાં આવી હતી. ભારતે ગયા વર્ષે રાષ્ટ્રીય ક્વાન્ટમ મિશન શરૂ કર્યુ હતું. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તેનાથી જોડાયેલુ રોકાણ પણ ભારતમાં આવી રહ્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎