:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ભાજપ : રસ્તા પર પડદા-પોસ્ટર લગાવનારને ગૃહ પ્રધાન બનાવનાર અમિત શાહે પોતાના મત વિસ્તારથી પ્રચારના શ્રી ગણેશ કર્યા

top-news
  • 15 Mar, 2024

હજુ ચુંટણીની તારીખોનું  એલાન પણ થયું નથી, એવામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન શરૂ કરી દીધા છે. તેમણે પોતાના મત વિસ્તારથી ચુંટણી માટે પ્રચાર શરૂ કયો છે,તેમને ગત લોકસભામાં ફળવવામાં આવેલો વિસ્તાર એટલેકે ગાંધીનગર વિસ્તાર જ આ વર્ષ ની ચુંટણીઓ માટે ફાળવવામાં આવ્યો છે. તેથી તેમણે ગુરુકુળ રોડ પરથી ચુનાવ અભિયાન ની શરૂઆત કરી હતી. 

શાહે આજથી પોતાના મત વિસ્તારમાં આવેલા  સુભાષ ચોક પાસેના હનુમાન મંદિરમાં દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી છે. ઉપરાંત અમિત શાહે એક સભા પણ સંબોધી, જેમાં તેમણે જણાવ્યુ કે 1500 રાજનીતિક પાર્ટીઓની વચ્ચે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે રસ્તા પર પડદા અને પોસ્ટર લગાવનારને દેશના ગૃહ પ્રધાન બનાવ્યા છે.એક બુથના અધ્યક્ષથી તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે.

અમિત શાહે જણાવ્યુ કે ભાજપ જ એક માત્ર એવી પાર્ટી છે કે જેણે ચા વેચનારા એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર કરાવી છે.તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદીના શાસને દેશને 10 વર્ષમાં સમૃદ્ધ કરવાનું કામ કર્યુ છે.નરેન્દ્રભાઇએ 60 કરોડથી વધુ ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યુ છે. તેમણે દેશની-માતાઓ બહેનોને 33 ટકા રિઝર્વેશન આપી લોકસભા અને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્થ કર્યો છે.

અમિત શાહે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયાથી દેશના યુવાઓને વિશ્વના યુવાનો સામે ઊભા રહેવાનો એક મંચ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે ભાજપના રાજમાં આતંકવાદ,નક્સલવાદ, ઘૂષણખોરી નાબૂદ થઇ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 એક ઝાટકે નાબુદ કરાયા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎