:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બે નિર્દોષ બાળકોની હત્યા કરનાર એન્કાઉન્ટરમાં ઠાર, UPના બદાયુમાં ભારે તણાવ,વહીવટીતંત્રે કરી શાંતિની અપીલ ...

top-news
  • 20 Mar, 2024

ઉત્તર પ્રદેશના બદાયુમાં બે બાળકો ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં ઘૂસીને બે બાળકોને માર માર્યો હતો. આ પછી પોલીસે માત્ર બે કલાકમાં જ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે.

યુપીના બદાયુમાં બે બાળકોની ઘરમાં ઘુસીને હત્યા કરાતા ચકચાર મચી છે. આ ઘટના બાબા કોલોનીમાં બની છે. જ્યા ઘરમાં ઘુસી હત્યા કર્યા બાદ આરોપી નાસી છુટ્યો હતો જો કે  ઘટનાની માહિતી મળતાં જ આરોપીનો પીછો કરી રહેલી પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં તે માર્યો ગયો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે. પોલીસ અને વહીવટીતંત્રે શાંતિ સ્થાપવાની અપીલ કરી છે.

બદાયુના ડીએમ મનોજ કુમારે કહ્યું કે અમને માહિતી મળી છે કે મંડી કમિટી ચોકી પાસે બાબા કોલોનીમાં એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને 11 અને 6 વર્ષના બે નાના બાળકોની હત્યા કરી નાખી છે ત્યાર બાદ લોકોને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે, બાબતે તપાસ ચાલુ છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર યુપીના બદાયુના બાબા કોલોનીમાં બે બાળકોની હત્યાની ઘટના બની છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. સાજીદ નામનો વ્યક્તિ તેની દુકાન સામે વિનોદસિંહના ઘરે ગયો હતો. આ પછી પત્નીને ચા બનાવવા કહ્યું હતું. ત્યારે આરોપીએ વિનોદના ત્રણ બાળકો પર જીવલેણ હુમલો  કર્યો હતો. તેણે કુહાડી ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો જેમાં બે જણાના મોત નીપજ્યા છે  જ્યારે ત્રીજા ઘાયલ બાળકની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની મંડી પોલીસ ચોકીથી થોડે દૂર બની હતી. આ ઘટના બાદ પરિવારના સભ્યો અને સ્થાનિક રહીશોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને એક મોટરસાઇકલને નુકસાન પહોંચાડ્યું હતું. 
 
આ કેસમાં પોલીસે આરોપીનું એકાઉન્ટર કરી દીધું છે. બરેલીના આઈજીએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓનો પીછો કર્યો અને આ દરમિયાન એક આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો, જેમાં ગુનેગારનું ઘટનાસ્થળે જ મોત થયું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આરોપી વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ બદાયુંના ડીએમ મનોજ કુમાર અને બરેલીના આઈજી ડો. રાકેશ સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તહેનાત કરી દેવાની ફરજ પડી હતી. બદાયુંના ડીએમના જણાવ્યા અનુસાર સ્થિતિ નિયંત્રણમાં છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎