કુખ્યાત ગેંગસ્ટરના મોતના પગલે ઉ. પ.માં વિવાદ : મારા પિતાને ધીરે-ધીરે ઝેર અપાયું -પુત્રનો ગંભીર આરોપ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29032024_044537_mukhtar-ansari.jpg)
- 29 Mar, 2024
ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચુંટણી વચ્ચે કુખ્યાત ગેંગસ્ટરના જેલમાં થયેલા મોતના પગલે વિવાદ જાગ્યો છે,તેના પુત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમના પિતા ને જેલમાં સ્લો પોઇઝન આપવામાં આવતું હતું. જો કે મેડિકલ તપાસને પગલે તેનો ખુલાસો થશે. યુપીની બાંદા જેલમાં કેદ ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેનું મોત થયું હતું.
ગુરુવારે મોડી રાતે તેને બાંદા જેલમાં હાર્ટએટેક આવ્યો હતો જે પછી તેને તાબડતોબ હોસ્પિટ લઈ જ વાયો હતો. જેલમાં ચેકઅપ દરમિયાન હાર્ટએટેક આવતાં તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો જેને પગલે જેલમાં અફરાતફરી મચી હતી અને તેને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયો હતો. મુખ્તાર અંસારીની હજુ 2 દિવસ પહેલાં જ તબિયત બગડી હતી. મુખ્તારના સાંસદ ભાઈ અફઝલ અંસારીએ જણાવ્યું હતું કે તેના ભાઈએ દાવો કર્યો છે કે તેને જેલમાં બે વાર ઝેર આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેમના નાના પુત્ર ઉમર અંસારીએ મોટું નિવેદન સામે આવ્યું છે. પિતાની લાશ જોયા બાદ ઉમરે કહ્યું કે, તેના પિતાને ઝેર આપવામાં આવ્યું હતું. ઉમરે કહ્યું કે, લોકોને ICUમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા. ધારાસભ્ય એ કોર્ટ સમક્ષ લખ્યું કે, 19મીએ તેમના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી તેની તબિયત લથડી હતી. આ પછી તેને ICUમાં લાવવામાં આવ્યો હતો. 12 કલાક સુધી એટલું દબાણ હતું કે ડોક્ટરો પણ તેની યોગ્ય સારવાર કરી શક્યા ન હતા.
મુખ્તાર અંસારીના નાના પુત્ર ઉમર અંસારીએ કહ્યું કે, તમે ક્યાંય સાંભળ્યું નથી કે ICUમાંથી લોકોને સીધા જેલમાં મોકલવામાં આવે છે. શું તેને આઈસીયુમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને જેલમાં ધકેલી દીધા છે. જ્યારે ઉમરને પૂછવામાં આવ્યું કે શું તેને કોઈ પર શંકા છે તો ઉમરે કહ્યું કે તેણે પિતાએ કહ્યું હતું કે, તેમને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે. પણ કોઈ સાંભળતું નથી. હવે આખા દેશને પણ ખબર પડી ગઈ છે.
મુખ્તાર અંસારીના મૃત્યુ પર પુત્ર ઉમર અંસારીએ કહ્યું કે, તેમને વહીવટીતંત્ર દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. મને મીડિયા દ્વારા આ વિશે ખબર પડી. બે દિવસ પહેલા હું તેને મળવા આવ્યો હતો, પરંતુ મને મળવા દેવામાં આવ્યો ન હતો. અમે પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યા છીએ કે તેને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. ઉમરે કહ્યું કે, 19 માર્ચે તેને રાત્રિભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. અમે ન્યાયતંત્રનો સંપર્ક કરીશું, અમને તેમાં પૂરો વિશ્વાસ છે.
વધુમાં અહી જણાવવાનું કે યુપીમાં એક જમાનામાં જેની તૂતી બોલતી હતી તેવા ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને 2022ની સાલમાં 1996ના અનેક ગુનામાં સંડોવણી બદલ ગાઝીપુરની ગેંગસ્ટર કોર્ટે અંસારીને 10 વર્ષની સજા અને 5 પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ