ઈઝરાયેલની સિરિયા પર એરસ્ટ્રાઈક,7 ના મોત : હુમલામાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલરની ઈમારતને નુકસાન ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02042024_050958_b3mi3rf4_israel-bombed-iranian-embassy-_625x300_02_April_24.webp)
- 02 Apr, 2024
ઈઝરાયેલ હમાસનું યુદ્ધને બે વર્ષ કરતાં પણ વધુનો સમય વીતી ગયો હોવા છત્તા ,યુદ્ધ રોકવાનું નામ નથી . બંને બાજુએ આક્રમકતા એટલી જ છે. નરસહાર પણ કઈ ઓછો થતો નથી, એવામાં ફરી એક વાર ઈઝરાયેલ દ્વારા સિરિયા પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ઈઝરાયેલના હવાઈ હુમલામાં દમાસ્કસમાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલર ડિવિઝનની ઈમારતને નુકસાન પહોંચ્યું.
જાણકારી મુજબ ઈમારતની અંદર ત્રણ વરિષ્ઠ કમાન્ડરો સહિત તેના સાત લશ્કરી સલાહકારો માર્યા ગયા , ઉપરાંત ત્યાં હાજર તમામ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે, પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી કે તેમના મોત થયા છે કે લોકો ઘાયલ થયા છે. સિરિયાની સરકારી મીડિયા દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ હતી . ત્યારે ઈરાનની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ મદીને કહ્યું કે હુમલામાં ઈરાની સેના સલાહકાર જનરલ અલી રજા જહદીનું મોત થયું.
જહદીએ પહેલા 2016 સુધી લેબનાન અને સિરિયામાં ઈરાની કુલીન કુદ્સ ફોર્સનું નેતૃત્વ કર્ય હતું.ઈરાનના રાજદૂત હુસૈન અકબરીએ ઈઝરાયેલની નિંદા કરી અને કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોનું મોત થયું છે. તેમને કહ્યું કે બચાવકર્મચારીઓને હજુ પણ લોકો કાટમાળ નીચે ફસાયા હોય તેવી આશંકા છે. રાજદૂતે કહ્યું કે ઈમારતની સુરક્ષામાં તૈનાત બે પોલીસ અધિકારી ઘાયલ થયા છે.
સિરિયાના વિદેશ મંત્રી ફૈસલ મેકદાદે ઈરાનના રાજદૂત અકબરી સાથે મુલાકાત બાદ મીડિયાને વધુ જાણકારી આપ્યા વગર જણાવ્યું કે ઘણા લોકો માર્યા ગયા છે. ઈરાનના સરકારી ટેલિવિઝને પોતાના અહેવાલમાં કહ્યું કે ઈરાની રાજદૂતનું આવાસ કાંસુલર ભવનમાં હતું, જે દુતાવાસની પાસે સ્થિત હતું.
સરકારી સમાચાર એજન્સી સનાએ એક સૈન્ય સુત્રના હવાલાથી કહ્યું કે માઝેહના કડક સુરક્ષાવાળા વિસ્તારમાં ઈમારત જ જમીનદોસ્ત થઈ ગઈ છે. રાહતકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધી રહ્યા છે. ઈઝરાયેલી સેનાએ તરત જ ટિપ્પણી કરી ન હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ