:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દિલ્હી હાઈકોર્ટે : કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાનો ઇનકાર ક્યારેક વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને આધીન કરવું પડે

top-news
  • 04 Apr, 2024

દિલ્હીના મુખ્યમંત્રીની ગત ૨૧ મી માર્ચના રોજ ઈડીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં ધરપકડ કરી હતી . ત્યાર બાદથી તેઓ ઈડીની કસ્ટડીમાં હતા ,કસ્ટડી પૂરી થતાં તેમને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા, તેથી મુખ્યમંત્રી પદનો કાર્યભાર હવે કોણ સાંભળશે તેને લઇને હાલમાં રાજકારણ ગરમાયું છે,એવામાં દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

કોર્ટે આ નિર્ણય કેજરીવાલ પર છોડી દીધો છે. જો કે, કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, કેટલીકવાર રાષ્ટ્રીય હિતને વ્યક્તિગત હિતથી ઉપર રાખવું પડે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં જેલમાં છે. તેઓ જેલમાંથી જ સરકાર ચલાવવા પર અડગ છે.એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની બેન્ચે હિંદુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાની પીઆઈએલને ફગાવી દીધી હતી.

ગુપ્તાએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડનો હવાલો આપીને કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. કોર્ટે પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તે કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય છે કે તેણે ચાલુ રાખવું કે નહીં. કેજરીવાલ પર ચુકાદો છોડતી વખતે કોર્ટે એમ પણ કહ્યું કે, 'ક્યારેક વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને આધીન કરવું પડે છે.'

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎