કેજરીવાલે સુપ્રીમમાં દાખલ કરેલી અરજી પર હાલ કોઈ સુનાવણી નહિ: જાણો ક્યારે હાથ ધરાશે સુનાવણી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10042024_104134_Kejriwal 12.jpg)
- 10 Apr, 2024
દિલ્હી દારૂ ગોટાળા કેસમાં ધરપકડ કરવામાં આવેલા અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી હાથ ધરાશે નહિ. હોઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર કેજરીવાલને કોર્ટે કહ્યું કે તેમની અરજી પર સુનાવણી સોમવાર પહેલા હાથ ધરવામાં આવે તેવી કોઈ શક્યતા નથી. સુપ્રીમ કોર્ટમાં હાલ આ મામલાની સુનાવણી માટે કોઈ સ્પેશિયલ બેન્ચ બનશે નહિ. હવે સોમવાર પહેલા આ મામલા પર કોઈ જ સુનાવણી યોજાશે નહિ. કારણ કે આગામી ચાર દિવસ સુધી કોર્ટમાં રજા છે.
આ પહેલા જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડે બુધવારે કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડને યથાવત રાખવાના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીનું ઝડપથી લિસ્ટિંગ કરીને તેની પર સુનાવણી કરવાની માંગ પર વિચાર કરવામાં આવશે.
જસ્ટિસે આ અંગે અરવિંદ કેજરીવાલના વકીલને ઈમેલ મોકલવાનું કહ્યું હતું. આ પહેલા જ કેજરીવાલે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક સિંધવીએ કહ્યું કે હું ઈમેલ પર નજર રાખીશ. સિંધવીએ કહ્યું કે ધરપકડ એવા પુરાવાના આધારે કરવામાં આવી છે, જેની પર ભરોસો કરી શકાય તેમ નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0