:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કેજરીવાલે સુપ્રીમમાં દાખલ કરેલી અરજી પર હાલ કોઈ સુનાવણી નહિ: જાણો ક્યારે હાથ ધરાશે સુનાવણી

top-news
  • 10 Apr, 2024

દિલ્હી દારૂ ગોટાળા કેસમાં ધરપકડ કરવામાં આવેલા અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી હાથ ધરાશે નહિ. હોઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર કેજરીવાલને કોર્ટે કહ્યું કે તેમની અરજી પર સુનાવણી સોમવાર પહેલા હાથ ધરવામાં આવે તેવી કોઈ શક્યતા નથી. સુપ્રીમ કોર્ટમાં હાલ આ મામલાની સુનાવણી માટે કોઈ સ્પેશિયલ બેન્ચ બનશે નહિ. હવે સોમવાર પહેલા આ મામલા પર કોઈ જ સુનાવણી યોજાશે નહિ. કારણ કે આગામી ચાર દિવસ સુધી કોર્ટમાં રજા છે.

આ પહેલા જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડે બુધવારે કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડને યથાવત રાખવાના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીનું ઝડપથી લિસ્ટિંગ કરીને તેની પર સુનાવણી કરવાની માંગ પર વિચાર કરવામાં આવશે. 

જસ્ટિસે આ અંગે અરવિંદ કેજરીવાલના વકીલને ઈમેલ મોકલવાનું કહ્યું હતું. આ પહેલા જ કેજરીવાલે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક સિંધવીએ કહ્યું કે હું ઈમેલ પર નજર રાખીશ. સિંધવીએ કહ્યું કે ધરપકડ એવા પુરાવાના આધારે કરવામાં આવી છે, જેની પર ભરોસો કરી શકાય તેમ નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎