:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગૃહમંત્રી અમિત શાહે ગયામાં કર્યા પ્રહારો: કહ્યું- હવે દરેક ભષ્ટ્રાચારીઓએ જવું પડશે જેલ

top-news
  • 10 Apr, 2024

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયાના ગુરારુમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન અપાવવાનું કામ કર્યું. લાલુ યાદવ અને કોંગ્રેસ સત્તામાં આવ્યા અને ગયા ક્યારેય કર્પૂરી ઠાકુરનું સન્માન કર્યું નથી. અમિત શાહે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને બિહારમાં 40માંથી 39 સીટો મળી હતી. જોકે આ વખતે લોકોને અપીલ છે કે તેઓ આ વખતે પણ બિહારની 40 સીટો પર એનડીએને જીત અપાવવાનું કામ કરે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે 40 સીટો પર ચૂંટણી જીતીશું.

અમિત શાહે કહ્યું કે આ વખતે 40માંથી 40 સીટો એનડીએને આપજો. તમે બધા એનડીએને 400ની પાર કરાવજો. પીએમ નરેન્દ્ર મોદી તેમના બધા વાયદાઓ પૂરા કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ વાયદો કર્યો હતો કે દેશના અર્થતંત્રને ત્રીજા નંબર પર પહોંચાડવાનું છે. તેને પુરો કરવાનો છે. વડાપ્રધાન મોદીએ રામ મંદિર બનાવવાનું કામ કર્યું છે. રામલલા પ્રથમ વખત રામનવમી અયોધ્યામાં પોતાના મંદિરમાં ઉજવશે. 

વડાપ્રધાને જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસ અને લાલુ યાદવ કલમ 370ને રદ કરવા દેતા નહોતા. મોદીજીએ પછાત લોકોને  સન્માન અપાવવાનું કામ કર્યું. આયુષ્માન ભારત યોજનાને બિહારમાં નીતીશ કુમાર અને સમ્રાટ ચૌધરીની સરકારે લાગુ કરી છે. અમિત શાહે કહ્યું  કે રાષ્ટ્રીય જનતા દળના નેતા વંદે ભારત ગીતનો વિરોધ કરે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎