હરિયાણામાં બસ પલટતા 6 બાળકોના મોત: ડ્રાઈવર દારૂના નશામાં હોવાનો દાવો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11042024_063600_Road accident.jpeg)
- 11 Apr, 2024
હરિયાણાના મહેન્દ્રગઢમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. તેમાં 6 બાળકોના મોત થયા છે. અહીં ગુરુવારે સવારે એક સ્કુલ બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. બસમાં લગભગ 35-40 બાળકો બેઠા હતા. દુર્ઘટના પછી હાલ 6 બાળકોની સ્થિતિ ગંભીર છે. બાળકોની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જોકે અત્યાર સુધીમાં 5 બાળકોના મૃત્યુ થયા છે. 6 બાળકોમાંથી એક બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને સારવાર દરમિયાન વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. જોકે થોડા સમય પછી છઠ્ઠા બાળકે જીવ ગુમાવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના મહેન્દ્રગઢ જિલ્લાના કનીનામાં થયો છે. દુર્ઘટનાનો શિકાર બનેલા બાળકો એક ખાનગી સ્કુલના છે. દુર્ઘટનામાં લગભગ 15 બાળકોને ઈજા પહોંચી છે. દુર્ઘટના કનીબા નજીક કનીના-દાદરી હાઈવે પર થઈ હતી.
દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોનો દાવો છે કે ડ્રાઈવર નશામાં હોવાના પગલે આ દુર્ઘટના બની હતી. સ્થાનિક લોકોના આરોપ પછી પોલીસ હાલ એ અંગે તપાસ કરી રહી છે કે શું ડ્રાઈવર ખરેખર નશામાં હતો કે કેમ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ